કર્ણાટકમાં સત્તા પર આવે તો બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરતા કોંગ્રેસના ચૂંટણી ઘોષણાપત્ર બાદ રાજ્યમાં હોબાળો મચ્યો છે. હવે બજરંગ દળના ચંડીગઢ યુનિટે આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને રુ. 100 કરોડની માનહાનિની નોટિસ મોકલી છે. યુનિટે કહ્યું કોંગ્રેસે બજરંગ દળ વિરુદ્ધ અપમાનજનક નિવેદનો કર્યા છે અને PFI જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે તેની સરખામણી કરી છે.
મલ્લિકાર્જુન ખડગેને 100 કરોડની લીગલ નોટિસ મળી.
