✍🏻આરામથી વાચજો, મને લખતા કે વિચારતા જેટલો સમય લાગ્યો, તેટલો તમને વાંચતા નહીં લાગે.🙏🏻🚩🙏🏻*”* *સંગઠન કે સમાજ* *”*

એક *વ્યકિત* હતો, જે હંમેશા પોતાના *સંગઠન(સમાજ)માં* ખૂબ *સક્રિય* હતો.
તેને બધા *ઓળખતા* હતા.
દરેક તેને ઘણું *માન* સન્માન આપતા હતા .
કોઈ *સંજોગોવસાત* તે *સંગઠનમાંથી* *અલગ* ( *નિષ્ક્રીય* ) રહેવા લાગ્યો, કોઈને પણ *મળવાનું* *બંધ* કરી દીધું .
*મેસેજ* કરવાનું પણ બંધ કરી દીધું. અને *સંગઠનથી* દૂર થઇ જાય છે .
થોડા અઠવાડિયા પછી ખૂબજ *ઠંડી* હતી અને રાત્રીમાં સંગઠનના *મુરબ્બી* માણસે તેને *મળવાનું* નક્કી કર્યું.
અને
*મુરબ્બી* માણસ તેના *ઘરે* આવ્યા
અને જોયું તો આ *માણસ* ઘરે *એકલો* જ હતો. અને તગારામાં લાકડાનું *તાપણું* કરીને સામે બેસી *આરામથી* તાપતો હતો .
તે *માણસે* ઉભા થઇ આવેલાુ *મુરબ્બીનું* સ્વાગત કરી આવકારો આપ્યો .
*બંન્ને* તાપણાની સામે *શાંતિથી* બેઠા . તાપણાની આગની *જવાળા* ઉપર સુધી *ઉઠતી* હતી તેને જોતાં હતાં . થોડી વાર , *મુરબ્બીએ* *કાંઈપણ* બોલ્યા વિના ,
તાપણામાંથી એક સળગતુ *એક* *લાકડુ લઈ તાપણાથી*, *અલગ કરી બાજુમાં રાખી દીધું. અને પાછા શાંત બેસી ગયા*..
તે *માણસ* આ બધું *ધ્યાન* થી જોઈ રહ્યો હતો. અને
લાંબા સમયથી *એકલો* રહેતો હોય , અને તેના સંગઠનના *મુરબ્બી* ઘરે આવ્યા હોય મનમાં ને મનમાં *આનંદ* લઈ રહ્યો હતો.
અને મનમાં *વિચારતો* હતો કે આજે તે *સંગઠન* ના *મુરબ્બી* સાથે છે .
પરંતુ તેને જોયુ કે *લાકડાના* તાપણામાંથી *જુદુ* ( અલગ) રાખેલ સળગતુ *લાકડુ* ધીરે ધીરે *ઠરવા* લાગ્યુ હતું અને *અગ્નિ* ઓછી થવા લાગી હતી .
અને થોડી વાર પછી સાવ *ઓલવાઈ* ગયું હતું. અગ્નિ સાવ *બૂઝાઈ* ગયો ,
હવે તેમાં કોઈ *આગ કે* *ચમક રહી નથી..*
થોડીવાર પહેલા આ લાકડામાં જે *આગ* અને *પ્રકાશ* હતો ,
તે હવે કોલસા સિવાય કાંઈ ન હતું !!!
હવે બંને એ *એકબીજા* ના *ખબરઅંતર* પૂછ્યા અને *ઓછામાં* *ઓછા* *શબ્દોમાં* વાતો કરી .
મુરબ્બી* એ જતા જતા , *અલગ* કરેલ અને *ઠરી* ગયેલ લાકડાને ઉઠાવીને પાછી *સળગતી* આગમાં રાખી દીધી .
*આ લાકડુ ફરીવાર* *સળગવા* *લાગ્યુ અને પહેલા* *જેવો પ્રકાશ આપવા* *આપવા લાગ્યુ અને ચારેબાજુ* *રોશની અને તાપ* *આપવા લાગ્યું…*
ત્યાર પછી આવેલ *મુરબ્બી* જવા લાગ્યા ત્યારે આ *માણસ* ઘરનાં દરવાજા સુધી *વળાવવા* ગયો અને *બોલ્યો* આપે મારા *ઘરે* આવી મારા ઉપર બહુ મોટો *ઉપકાર* કર્યો છે .
*આજે આપે કાંઈપણ બોલ્યા વિના એક વાત સરસ બતાવી છે કે, એકલા વ્યકિતનું કાંઈ મહત્વ કે અસ્તિત્વ છે જ નહીં.*
*સંગઠન* કે *ગ્રુપના* સાથ સહકાર થકી જ માણસો *ઓળખાતા* અને *ઉજળા* હોય છે .
*સંગઠન* થકી જ માણસોની *પહેચાન* હોય છે .
*સંગઠન* સર્વોપરી હોય છે . સંગઠન પ્રત્યે અમારી *નિષ્ઠા* અને *સમર્પણ* કોઈ *વ્યકિત* માટે નહીં , *સંગઠન* ની સાથે જોડાયેલા *વિચાર* , *સિદ્ધાંતો* પ્રત્યે હોવી જોઈએ
*સંગઠન* *કોઈપણ* પ્રકાર નુ હોઈ શકે છે , *પારિવારિક* , *રાજકીય* , *પક્ષીય* , *સામાજિક* , *વ્યાપારિક* કે *સાંસ્કૃતિક* વિગેરે વિગેરે…..
સંગઠન વિના માનવ જીવન *અધૂરું* છે . !!
જયાં પણ રહો *સંગઠીત* રહો..!!
કલીયુગ નો મંત્ર સંગઠન (એકતા)માંજ શક્તિ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *