ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધીનો કાયદો હળવો કરતાં જ બિહારમાં રાજકારણ શરૂ

ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધીનો કાયદો હળવો કરતાં જ બિહારમાં રાજકારણ શરૂ

  • ભાજપ સરકારે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હળવો કરતાં બિહારમાં પણ માંગ વધી
  • મણિપુરની સરકારે પણ 30 વર્ષથી વધુ સમય બાદ દારૂ પરનો પ્રતિબંધ હટાવ્યો

નવી દિલ્હી, 23 ડિસેમ્બર : દેશના કેટલાક રાજ્યોમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. જેમાં બિહાર પહેલા ગુજરાત અને મણિપુર જેવા રાજ્યો પણ તેમાં સામેલ છે. તાજેતરમાં, ગુજરાત અને મણિપુરમાં દારૂબંધીના કાયદાને હળવો કરવામાં આવ્યો છે. જેની બિહારમાં પણ અસર થઈ છે અને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. નેતાઓ દારૂબંધીનો કાયદો હટાવવાની માંગ કરી રહ્યા છે. ગુજરાત સરકારે ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી (GIFT)માં હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂ પીવાની છૂટ આપી છે. અહીં કામ કરતા કર્મચારીઓ અને માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે તેમજ મણિપુરની સરકારે પણ 30 વર્ષથી વધુ સમય બાદ દારૂ પરનો પ્રતિબંધ હટાવ્યો છે, જેમાં દારૂ પીવા, વેચવા અથવા ખરીદવાને ગુનો બનાવ્યો હતો. આ પછી ગુજરાતમાં પણ તેના વપરાશ માટેની શરતો હળવી કરવામાં આવી છે.

અગાઉ તાજેતરમાં જ મણિપુરની ભાજપ સરકારે 30 વર્ષથી વધુ સમય બાદ દારૂ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો હતો. કેબિનેટે રાજ્યની આવક વધારવા અને ઝેરી દારૂનો પુરવઠો રોકવા માટે દારૂની નીતિમાં સુધારો કર્યો છે. મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહની આગેવાની હેઠળની કેબિનેટે 30 વર્ષથી વધુના પ્રતિબંધ પછી રાજ્યમાં દારૂનું ઉત્પાદન, કબજો, નિકાસ, આયાત, પરિવહન, ખરીદી, વેચાણ અને વપરાશને મંજૂરી આપી છે. સપ્ટેમ્બર 2022માં દારૂ પરનો પ્રતિબંધ આંશિક રીતે હટાવી લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, દારૂબંધી ખૂબ જ સંવેદનશીલ વિષય છે. કોઈપણ સરકાર આ વિષય પર કોઈ નિર્ણય લેતા પહેલા ઘણી વાર વિચારે છે. ટેક્સના દૃષ્ટિકોણથી તે સરકાર માટે કમાણીનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. જો આપણે મણિપુરની વાત કરીએ તો ત્યાંથી દારૂબંધીનો કાયદો હટાવવાથી 600-700 કરોડ રૂપિયાની આવક થશે. સરકારે એવો પણ દાવો કર્યો છે કે, આનાથી ગેરકાયદેસર દારૂના વેચાણ અને માદક દ્રવ્યોના પ્રસારને રોકવામાં પણ મદદ મળશે.

જાણો બપોર સુધીના તમામ મહત્ત્વના સમાચાર HD News ટૉપ-10ના વીડિયો દ્વારા

બિહારમાં દારૂબંધી મામલે ભારે રાજકારણ

બિહારમાં નીતીશ કુમારે મહિલાઓની માંગ પર આ જાહેરાત કરી હતી. આ મુદ્દે હાલ ભારે રાજકારણ ચાલી રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી જેવા નેતાઓ તેનો ખુલ્લેઆમ વિરોધ કરે છે. સત્તામાં આવતા પહેલા RJDના ઘણા નેતાઓ પણ તેની વિરુદ્ધ બોલતા હતા. જો કે લાલુ યાદવની પાર્ટી આ મુદ્દે સાવધાનીપૂર્વક બોલે છે. તાજેતરમાં, કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન આલ્કોહોલિક બેવરેજ કંપનીઝ (CIABC) એ ફરી એકવાર બિહાર સરકારને મણિપુર સરકારના નિર્ણયની જેમ રાજ્યમાં દારૂ પરનો સંપૂર્ણ પ્રતિબંધ હટાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આનાથી બિહાર સરકારની કમાણી પણ વધશે.”

તે જ સમયે આ બાબતે બિહારના પ્રતિબંધ અને આબકારી મંત્રી સુનીલ કુમારે કહ્યું કે, દારૂ પર પ્રતિબંધ રાજ્ય સરકારનો નીતિગત નિર્ણય હતો જે રાજ્ય વિધાનસભાના બંને ગૃહો દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો અને તેને પાછો ખેંચી શકાય નહીં.

સરકાર બનશે તો દારૂબંધીનો કાયદો હટાવી દેવામાં આવશે : વિપક્ષ નેતા

બિહારમાં 2016થી સંપૂર્ણ પ્રતિબંધ લાગુ છે. જો કે આ પછી પણ ઝેરી દારૂના કારણે લોકોના મૃત્યુના અનેક કિસ્સાઓ બની રહ્યા છે. આ બહાને વિપક્ષ નીતીશ સરકાર પર પ્રહારો ચાલુ રાખે છે. તાજેતરમાં જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ દારૂબંધીને નિષ્ફળ ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, આ કાયદાને કારણે જે લોકો જેલમાં છે તેમાં 80 ટકા લોકો દલિત સમુદાયના છે. માંઝીએ દાવો કર્યો હતો કે, જો અમારી સરકાર આવશે તો અમે આ કાયદાને ગુજરાતની તર્જ પર લાગુ કરીશું અથવા તો કાયદો સંપૂર્ણપણે નાબૂદ કરીશું. તેમણે કહ્યું કે, નશાબંધી વિભાગ દ્વારા જે સર્વે કરવામાં આવી રહ્યો છે તે ફરીથી બતાવશે કે નશાબંધી સફળ છે. જાતિ સર્વેક્ષણની જેમ આ પણ ખોટા હશે.

Posted in All

3 thoughts on “ગુજરાતમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધીનો કાયદો હળવો કરતાં જ બિહારમાં રાજકારણ શરૂ

  1. https://www.telqq.com Telegram群组,Telegram群组导航。收录Telegram上的优质频道和群组,打造一个高质量Telegram导航。TGNAV收录整理了Telegram上的许多优质频道、群组、机器人,帮助用户发现更多优质的群组。

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *