રાહુ કેતુ ગોચર 2023

30 ઓકટોબરે થસે રાહુ – કેતુ ગોચર 

 

વૈદિક જ્યોતિષમાં તમામ ગ્રહોનું પોતપોતાનું વિશેષ મહત્વ છે. બધા ગ્રહો નિયમિત અંતરે પોતાની રાશિ બદલતા રહે છે, જેની અસર દેશ અને દુનિયાની સાથે તમામ રાશિના લોકો પર પડે છે.હાલમાં, દેવગુરુ બૃહસ્પતિ મેષ રાશિના લગ્ન ભાગમાં સ્થિત છે અને રાહુ દ્વારા પીડિત છે. જો કે મીન રાશિમાં રાહુના સંક્રમણને કારણે મેષ રાશિના લોકોને ગુરુ ચાંડાલ દોષથી મુક્તિ મળશે. આ પછી મેષ રાશિના લોકોને તમામ શુભ કાર્યોમાં સફળતા મળશે.રાહુ અને કેતુ માયાવી ગ્રહો છે. બંને વક્રી ચાલ ચાલે છે અને દોઢ વર્ષ સુધી એક જ રાશિમાં રહે છે. આ પછી, એક રાશિ છોડીને, બીજી રાશિમાં પ્રવેશ કરે છે. હાલમાં રાહુ મેષ રાશિમાં છે અને કેતુ તુલા રાશિમાં છે. જ્યોતિષના મતે રાહુ અને કેતુ 30 ઓક્ટોબરે રાશિ પરિવર્તન કરશે. આ તમામ 12 રાશિઓ પર તેમના ઘર પ્રમાણે અસર કરશે. આમાંથી 5 રાશિઓને સૌથી વધુ ફાયદો થશે.

આવો, ચાલો જાણીએ આ 5 રાશિઓ વિશે :- 

 

મેષ રાશિ

હાલમાં, દેવગુરુ ગુરુ મેષ રાશિના લગ્ન ભાગ માં સ્થિત છે અને રાહુ દ્વારા પીડિત છે. જો કે મીન રાશિમાં રાહુના સંક્રમણને કારણે મેષ રાશિના લોકોને ગુરુ ચાંડાલ દોષથી મુક્તિ મળશે. આ પછી મેષ રાશિના લોકોને તમામ શુભ કાર્યોમાં સફળતા મળશે. ધનલાભની નવી સંભાવનાઓ બનશે. ખરાબ થયેલા કામ સારા થવા લાગશે. આવકમાં પણ વધારો થશે. તેમજ રોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ થશે.

 

મિથુન રાશિ

હાલમાં ગુરુ મિથુન રાશિના આવક ઘર તરફ નજર કરી રહ્યો છે. મિથુન રાશિના લોકોને પણ રાહુના રાશિ પરિવર્તનથી ફાયદો થશે. તેનાથી મિથુન રાશિના લોકોની આવકમાં વધારો થશે. રાહુ મિથુન રાશિમાં ઉચ્ચ છે. તેથી, મિથુન રાશિના લોકોને રાહુના રાશિ પરિવર્તન અને ગુરુની હાજરીથી શુભ લાભ મળશે.

 

કર્ક રાશિ

કર્ક રાશિના લોકોને પણ રાહુના રાશિ પરિવર્તનથી લાભ મળશે. ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચ છે. હાલમાં ગુરુ કર્ક રાશિના કરિયર ઘર તરફ જોઈ રહ્યો છે. તેથી કર્ક રાશિના લોકોને કરિયર અને બિઝનેસમાં નવી તકો મળશે. જીવનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશો. આવકમાં પણ વધારો થશે. ખરાબ થયેલા કામ સારા થવા લાગશે.

 

આ પણ વાંચો :- કેવો રહેસે આપ નો આજ નો દિવસ .. 

 

સિંહ રાશિ

હાલમાં, ગુરુ સિંહ રાશિના ભાગ્ય ઘર તરફ જોઈ રહ્યો છે. આ ઘરમાં ગુરુની હાજરીને કારણે સિંહ રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. કરિયરમાં તમારી ઈચ્છા મુજબ સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેશે. દેવગુરુ ગુરુની કૃપાથી સિંહ રાશિના લોકોના સુખમાં વધારો થશે.

 

મીન રાશિ

જ્યોતિષના મતે હાલમાં ગુરુ મીન રાશિના ધન ઘર તરફ જોઈ રહ્યો છે. સાથે જ રાહુ પણ મીન રાશિના ધન ગૃહમાં સ્થિત છે. બંનેની હાજરીને કારણે ગુરુ ચાંડાલ દોષ સર્જાઈ રહ્યો છે. જો કે રાહુના રાશિ પરિવર્તન બાદ મીન રાશિના લોકોને ગુરુની કૃપા મળશે. તેનાથી મીન રાશિના લોકોની આવકમાં વધારો થશે. કરિયર અને બિઝનેસમાં પણ તમને તમારી ઈચ્છા મુજબ સફળતા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *