સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) ના CISF યુનિટ દ્વારા ‘સ્વચ્છતા ઝુંબેશ’ હેઠળ થયું સફાઈકાર્ય

સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) ના CISF યુનિટ દ્વારા ‘સ્વચ્છતા ઝુંબેશ’ હેઠળ થયું સફાઈકાર્ય

CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભય સિંઘની ઉપસ્થિતિમાં SoU અને તેની આસપાસના વિસ્તારમાં સફાઇકાર્ય કરવામાં આવ્યું

રાજપીપલા તા.2

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વમાં જનભાગીદીરીથી શરૂ થયેલ સ્વચ્છ ભારત અભિયાન આજે જન આંદોલન બન્યું છે. ‘સ્વચ્છતા હી સેવા અભિયાન-2023’ ને અનુલક્ષીને દેશભરમાં વિવિધ સફાઈકાર્યની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં પણ વિવિધ સ્થળોએ સફાઈકાર્યો કરવામાં આવી રહ્યા છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SoU) ના સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (CISF) યુનિટ દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પરિસરમાં સ્વચ્છતા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી નિર્ભય સિંઘના નેતૃત્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારોમાં સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું. ઇન્સ્પેક્ટર શૈલેન્દ્ર સિંઘ અને સબ ઇન્સ્પેક્ટર મૃત્યુંજય કુમાર સિંઘ પણ આ સફાઇકાર્ય દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા અને સફાઇ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. આ સ્વચ્છતા ઝુંબેશમાં વિસ્તારના સ્થાનિકો અને પ્રવાસીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા. આમ, જનભાગીદારી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં સફાઈકાર્ય હાથ ધરાયું હતું.

CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભય સિંઘે જણાવ્યું કે, મહાત્મા ગાંધીએ ‘સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા’ નો સંદેશ આપ્યો હતો. તેઓના સ્વચ્છ ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું. આજે આ અભિયાને સ્વચ્છતાને લઇને લોકોમાં જાગૃતિ લાવી છે, અને સ્વચ્છતા અભિયાન એક જન આંદોલન બન્યું છે.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *