*કવિ ગુરુ સાંનિધ્ય ગ્રૂપ આયોજિત કવિ સંમેલન*

કવિ ગુરુ સાંનિધ્ય ગ્રૂપ દ્વારા ઝૂમ પ્લેટફોર્મ પર પ્રથમવાર online કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું.જેમાં મુખ્ય અતિથિ તરીકે કવિશ્રી ચંદ્રેશ મકવાણા ‘નારાજ’ ને આમંત્રિત કરી તેમનું શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા.
કવિ સંમેલન ગ્રૂપમાં આમંત્રિત તમામ કવિશ્રી,કવિયિત્રીશ્રીઓને કવિશ્રી જયેશ શ્રીમાળી ‘જય’ દ્વારા આવકારી કાવ્ય મુશાયરાની શરૂઆત કરવામાં આવી હતી.જેમાં કવિશ્રી જયસુખ વાઘેલા, કવિશ્રી દેવેન્દ્ર ધમલ, કવિશ્રી સંદીપ ચવેલીયા ‘સૂર્યદિપ’ ,કવિશ્રી જયેશ શ્રીમાળી ‘પલિયડ’ ,સાહિત્યકારશ્રી લાભુ માલધારી,શ્રી ગાયત્રી શ્રીમાળી ‘ઘેલી’ , કવિશ્રી જયસુખ વાઘેલા, કવિશ્રી અશોક શ્રીમાળી, કવિશ્રી નિલેશ શ્રીમાળી આ સંમેલનમાં જોડાયા હતા અને ઝૂમ ઓનલાઈન પ્લેટફોર્મ જોડાયેલ કવિશ્રીઓએ પોત પોતાના આગવા લ્હેકા અને પોતાની છટાદાર ભાષામાં કાવ્ય,ગઝલની રેલમછેલ કરી હતી, દર્શકગણમાંથી કવિ અનિલ ‘યોગ’એ પોતાની ગઝલથી ગ્રૂપમાં જોડાયેલ દર્શકોને ઘેલા કરી દીધા હતા.
કવિ સંમેલનનું સમગ્ર online આયોજન કવિગુરુ સાંનિધ્ય ગ્રૂપના કવિશ્રી જયેશ શ્રીમાળી ‘જય’ દ્વારા કરવામાં આવ્યું હતું.

*સંકલન – કવિ-જયેશ શ્રીમાળી ‘પલિયડ’*