અંબાજી ખાતે ગાયિકા હિમાલી વ્યાસ અને અભિતા પટેલે રમઝટ જમાવી

સંજીવ રાજપૂત
અંબાજી

અંબાજી ખાતે ગાયિકા હિમાલી વ્યાસ અને અભિતા પટેલે રમઝટ જમાવી

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભના છઠ્ઠા દિવસે હિમાલી વ્યાસ અને અભિતા પટેલે ગરબાની રમઝટ બોલાવી હતી.

જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય મેળો ચાલી રહ્યો છે જે તેના અંતિમ ચરણ તરફ પહોંચી રહ્યો છે ત્યારે છઠ્ઠા દિવસે અંબાજી ખાતે માઈ ભક્તો માટે સાંસ્કૃતિક કાર્યક્રમના અંતિમ દિવસે હિમાલી વ્યાસ અને અભિતા પટેલે મધુર સુરો દ્વારા માતાજીના ભજન અને ગરબાની રમઝટ બોલાવી હતી. અંબાજી ખાતે રાત્રે માઈ ભકતો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ મંગળવાર થી શરૂ થયો હતો જેમા પ્રથમ દિવસે પ્રખ્ખાત ગાયિકા સાધના સરગમ આવ્યા હતા. બીજા દિવસે નીતિન બારોટ અને દેવિકા રબારીએ પરમફોર્મ્સ આપ્યું હયું. કાર્યક્રમમાં તમામ કલાકારોનું સ્વાગત કરાયું હતું તેમજ આ અખાય કાર્યક્રમ.દરમ્યાન સહભાગી અને સહકાર આપનાર તમામ કચેરીના અધિકારીઓ તેમજ અન્ય તમામ કર્મીઓનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. અત્રે જણાવી દઈએ.કે અત્યાર સુધી 39 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમનું રાજ્ય સરકાર તેમજ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભવ્ય આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *