સંજીવ રાજપૂત
ગાંધીનગર
અંબાજી મેળા માટે નિમંત્રણ પાઠવતા મુખ્યમંત્રી
તારીખ 23 સપ્ટેમ્બર થી 29 સુધી દેશના પ્રખ્યાત અને પવિત્ર શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળો શરૂ થવા જઈ રહ્યો છે જેમાં દૂર દૂરથી માઇભક્તો માં અંબાના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવશે ત્યારે રાજ્ય સરકાર સહિત બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર પણ ભક્તોને આવકારવા સજ્જ બન્યું છે. શક્તિપીઠ અંબાજી ખાતે આયોજિત થનાર ભાદરવી પૂનમના મહામેળામાં પધારવા માંઇ ભક્તોને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
બાઈટ: મુખ્યમંત્રી