યુગાન્ડાની શાળામાં થયેલા આતંકી હુમલામાં માર્યા તેમજ સોડવદરી અને કચ્છમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

 

તાજેતરના સમાચાર પ્રાપ્ત થયા છે તે મુજબ આફ્રિકાના ઉત્તર યુગાન્ડા ખાતે એક શાળામાં ત્રાસવાદી સંગઠનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને એ ગોઝારા હુમલામાં ૪૧ લોકોનાં મોત નિપજયા છે. આ અત્યંત કરુણ ઘટનામાં વિશેષ પીડાદાયક બાબત એ છે કે આ હુમલામાં 40 નિર્દોષ બાળકો પણ મોતને ભેટ્યા છે. આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓ પ્રત્યે મોરારીબાપુએ એમની સંવેદના અને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ ઉપરાંત ભાવનગરના ઘોઘા તાલુકાના સોડવદરી ગામે એક પિતા અન પુત્રના પણ ડૂબી જવાથી મોત થયા છે. એ જ રીતે કચ્છમાં પણ વાવાઝોડાને લીધે એક સ્ત્રીનું મૃત્યુ થયું છે. આ તમામ મૃતકોના પરિજનોને કુલ મળીને પાંચ લાખ રૂપિયાની રાશી પૂજ્ય મોરારીબાપુ દ્વારા અર્પિત કરવામાં આવી છે. યુગાન્ડા ની રાશિ રામકથાના આફ્રિકા સ્થિત શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે.