કુમકુમ મંદિરના કોઠારી ભગવાનની મૂર્તિમાં લીન થયા.

કુમકુમ મંદિરના મંદિરના કોઠારી
ભગવાનની મૂર્તિમાં લીન થયા.

સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર -કુમકુમ – મણીનગરના કોઠારી
શ્રી હરિભૂષણદાસજીસ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ નું ચિંતન કરતા કરતા અક્ષરધામ ને પામ્યા છે.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલ દાસજી જણાવ્યું હતું કે, કુમકુમ મંદિરની સ્થાપના ઈસ.1985 માં થઈ ત્યારથી શ્રી હરિભૂષણદાજી સ્વામી કોઠારી તરીકે મંદિરમાં સેવા આપતા હતા.
સંત તરીકે તેમને 50 વર્ષ જીવન વિતાવ્યું છે..
શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામીની આજ્ઞામાં રહીને તેમણે કુમકુમ મંદિરની ખૂબ જ સેવા કરેલી છે.
તેમણે શ્રી મુક્તજીવન સ્વામી બાપા પાસેથી દીક્ષા લીધી હતી.
આજે મણિનગર ની અંદર
તેમની અંતિમ પાલખીયાત્રા યોજવામાં આવી હતી.
આ પ્રસંગે શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણ સ્વરૂપ દાસજી સ્વામી અને અનેક સંતો હરિભક્તોએ પુષ્પહાર પહેરાવી પૂજન અર્ચન કર્યું હતું..
જેના દર્શનનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *