*સફળ થવા માટે મહેનત, સંસ્કાર અને સંકલ્પ જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી*

*કુમકુમ મંદિર ખાતે સત્સંગ સભા યોજાઈ.*

*સફળ થવા માટે મહેનત, સંસ્કાર અને સંકલ્પ જોઈએ.- સાધુ પ્રેમવત્સલદાસજી*

સાધુતાની મૂર્તિ સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણિનગર ખાતે પવિત્ર અધિકમાસના પાવન અવસરે “સત્સંગ સભા” યોજાઈ હતી. આ પ્રસંગે ધુન, ભજન, કીર્તન, પારાયણ કરવામાં આવી હતી.

*આ પ્રસંગે કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે*, જીવનમાં સફળ થવા માટે મહેનત, સંસ્કાર અને સંકલ્પ અડગ જોઈએ.

યુવાની જીવનનો સૌથી સોનેરી સમય છે. આ સમય માત્ર આનંદ માણવાનો નથી. પરંતુ જીવનનું ભવિષ્ય ઘડવા માટેનો છે. યુવાન માત્ર ઉંમરથી નથી બનતો, પરંતુ વિચાર, સંકલ્પ અને કાર્યથી બને છે.

આજે વિશ્વને એવા યુવાનની જરુર છે કે, જે સપનાઓ જોવે અને તેને સાકાર કરવા માટે દિવસ રાત મહેતન કરે.

ડો.એ.પી.જે.અબ્દુલ કલામ સાહેબ કહેતા કે, સપનાં તે નથી જે ઉંઘમાં આવે, સપનાં તે છે જે ઉંઘવા ના દે.

જે ઘસાય છે તે જ ચમકે છે, અને જે તપે છે તે જ નીખરે છે.

યુવાનો માટે સૌથી મોટું આભૂષણ એ સંસ્કાર છે.આધુનિક બનવું સારી વાત છે. પરંતુ માતાપિતાનો આદર, શાસ્ત્રો કહેલા ધર્મ પ્રમાણે જીવન જીવવું એ ભૂલાવું ના જોઈએ.

જીવનમાં સફળતા મળી પણ ધર્મ ગયો. સંસ્કાર ગયા તો, તેનો કોઈ અર્થ નથી.

સાચો યુવાન એ છે કે, જે સારા પુસ્તકો વાંચે, સારા માર્ગે ચાલે, દેશ અને ધર્મની સેવા કરે.

સોશિયલ મીડીયા ઉપર લોકપ્રિય બનવામાં સમય બગાડ્યાં કરતાં સારા કાર્યમાં મદદરુપ થવું જોઈએ.

શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં બતાવ્યા પ્રમાણે નીતિમય, સદાચારમય જીવન જીવવું જોઈએ.

જેનું જીવન વ્યસનમુક્ત છે, જેનું જીવન સેવામય છે. જેનું જીવન ભક્તિમય છે, તે જ સાચા અર્થમાં યુવાન છે.

આપણે સાચા અર્થમાં યુવાન બનીએ.