ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર
CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય
11 જૂન 2026થી નર્મદા નહેરોમાંથી સિંચાઈ માટે 15 હજાર ક્યુસેક પાણી છોડવામા આવ્યું
ખેડૂતોમાં રાહતની લાગણી
રાજપીપળા, તા 11
ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં આજથી નર્મદાની નહેરોમાંથી સિંચાઈ અને પીવાના પાણી ની માગ ને લઈ 15 હજાર ક્યુસેક પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે.
નર્મદા નિગમ, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથેની બેઠક બાદ મુખ્યમંત્રીએ આયોજન કરતાં વહેલા પાણી કેનાલમાં છોડવાના આદેશો આપ્યા હતાં. આ પહેલાં અમુક ધારાસભ્યો અને સાંસદો તરફથી પણ સરકારને રજૂઆતો કરી હતી.જેના પગલે ખેડૂતોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી સરકારે
11 જૂનથી નર્મદા નહેરમાંથી સિંચાઈ માટે
પાણી છોડવાનો નિર્ણય લેતા આજે કેનાલમાં પાણી છોડાયું હતું. સરદાર સરોવર નર્મદા ડેમ એ ગુજરાત ની જીવાદોરી ગણવામાં આવે છે જે આજે ખરેખર જીવાદોરી સાબિત થઈ રહી છે આજે પણ નર્મદા ડેમમાં 127.64 મીટર ની સપાટી છે.અને મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી 5491હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.જોકે આ મેઇન કેનાલ માં 15 હજાર વધુ પાણી ગુજરાતને આપવામાં આવી રહ્યું છે ત્યારે આ પાણી કચ્છ સુધી મૈન કેનાલમાંથી પાણી પહોંચશે. હાલ ચોમાસુ ખેંચાયું છે ત્યારે ખેડૂતોની સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવાની માંગ થઈ છે અને સાંસદો અને ધારાસભ્યની રજૂઆતને પગલે રાજ્ય સરકારે આજથી નહેરોમાં 15હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય બાદ આજે પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપળા