અમરવેલ.

આજના આ આર્ટીકલ અમે તમને અમરવેલના ફાયદાઓ વિશે સંપૂર્ણ માહિતી આપવાના છીએ . તથા અમરવેલ ક્યા ક્યા મુખ્ય રોગોને સાવ જડમૂળમાંથી દુર કરે છે તેનો પણ અમે માહિતી તમને આપીશું . અમરવેલમાં જોવા મળતા મુખ્ય ગુણધર્મો વિશે પણ તમને માહિતગાર કરીશું . અમરવેલની રંગની દ્રષ્ટીએ વાત કરીએ તો તેનો રંગ પીળા હોય છે તેને પીળા રંગની વેલો નીકળે છે . અમરવેલનું જમીનમાં મૂળ હોતું નથી તથા અમરવેલ ને પાન પણ હોતા નથી . અમરવેલ ને અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે .
અમરવેલના અલગ અલગ નામો આ મુજબ છે ડોડાર , રસબેળ , અંધબેલ , અલોક્લત્તા , સ્વર્ણ લત્તા , આકસ બેલ તથા આકાશબલ્લી વગેરે નામોથી અમરવેલ ને ઓળખવામાં આવે છે . અમરવેલ તેમના મૂળ તેમજ તેમની મુખ્ય ડાળી માંથી ઉત્ત્પન્ન થતી વેલ છે . અમરવેલ ને જમીન સાથે કોઈપણ પ્રકારનો સબંધ હોતો નથી તેમજ અમરવેલને તમેં કોઈ ડાળખી ઉપર મૂકી દો તે ત્યાં પણ સારી રીતે થઇ જાય છે .અમરવેલ ના પાન પીળા રંગના આવતા હોવાથી તમે તેને સહેલાઈથી કોઈપણ જગ્યા થી ઓળખી શકો છો તેમજ તેને જોઈ પણ શકો છો . અમરવેલની ૧૫૦ કે તેથી પણ વધારે જાતો જોવા મળે છે . અમરવેલ નો ઉલ્લેખ આયુર્વેદ માં પણ કરેલો જોવા મળે છે .
માથામાં ટાલ થઇ હોય તે મટી જાય છે : મિત્રો જો તમારા માથાના વાળ જતા રહ્યા હોય અને તમને માથાના ભાગ માં ટાલ પડી ગઈ હોય તો તેને ઠીક કરવા માટે થોડી અમરવેલ લઈને પેલા તેને વાટી લો ત્યારબાદ અમરવેલનું તેલ કાઢી નાખો અને બે ચમસી ભરીને તેમાં નાખીને પસી માલીશ કરવાથી માથામાં વાળ ઉગી નીકળે છે તથા જો તમારા વાળ ખરતા હોય તો તે પણ સાવ મટી જાય છે અને તમને એકદમ રાહત થાય છે .

વાળની તમામ સમસ્યા માટે ઉપયોગી છે અમરવેલ : મિત્રો તમને જો માથાના વાળ ને લગતી સમસ્યાઓ હોય જેવી કે વાળ સફેદ થવા તથા વાળમાં ખોડો થવો તો તેના યોગ્ય ઈલાજ માટે અમરવેલ તમને ખુબજ ઉપયોગી થશે . કારણ કે તમારા વાળ માટે અમરવેલ રામબાણ દવા સમાન ઉત્તમ પ્રકારની ઔષધી તરીકે ગણાય છે . તમારે દરરોજ અમરવેલના તેલને વાળમાં માલીશ કરી દેવું ત્યારબાદ માથાને બરાબર ધોઈ નાખવાથી એકદમ ફાયદો થાય છે તથા માથાના વાળને લગતી દરેક સમસ્યાનો હલ થાય છે . તથા તમને તેના લીધે થતી સમસ્યા નો ઉકેલ આવે છે .

તમામ સાંધાના દુખાવામાં ફાયદો કરે છે અમરવેલ : જો તમને સાંધાને લઈને દુખાવો થતો હોય તો તમારે હવે બિલકુલ ચિંતા કરવાની જરુર નથી અમરવેલ તેનો દેશી ઈલાજ કરી દે છે . તમારે થોડી અમરવેલ લ્યો ત્યારબાદ તેને બરાબર ઘસી નાખો અને તેનો પાઉડર જેવું બનાવી લ્યો પસી તેના થોડું ગરમ કરેલું પાણી નાખો અને તેને હલાવી નાખો ત્યારબાદ તે બનાવેલા પેસ્ટ ને તમારા શરીર ના કોઈપણ સાંધા દુખતા હોય તેને ઉપર પેસ્ટ નો માલીશ કરવાથી સાંધાનો દુખાવો સાવ જડમૂળમાંથી દુર થાય છે અને તેને લીધે તમને જો દુખાવો થતો હોય તો તે પણ મટી જાય છે .તથા તમને જો ગઠીયા સાંધા થયા હોય , તથા તમારું આખું અંગ દુખતું હોય તો તે પણ મટી જાય છે .
બવાસીર માટે ઉપયોગી છે અમરવેલ : જો તમને બવાસીર થઇ હોય તો તેના માટે તમારે ૨૦ થી લઈને ૨૫ ગ્રામ જેટલો અમરવેલનો રસ લેવો તથા ૫ થી ૧૦ ગ્રામ જેટલો જીરાનો બારીક ભુક્કો કરવો ત્યારબાદ ૫ ગ્રામ જેટલો તજનો પાઉડર કરવો અને તે બધા જ ચૂર્ણ ને મિશ્રણ કરી નાખો પસી તેને ગરમ કરેલા પાણીમાં એક ગ્લાસ પાણીમાં નાખીને પસી તેને બરાબર હલાવી નાખો અને દરરોજ સેવન કરવાથી ફાયદો થાય છે .અને બવાસીરમાંથી તમને છુટકારો મળે છે .

હરસ મટાડે છે અમરવેલ : અમરવેલ તમારા જૂનામાં જુના હરસ ને મટાડવા માટે ઉપયોગી થાય છે . હરસ થવાથી તમને મળદ્વાર ઉપર સોજો આવી જાય છે તથા હરસ ને લીધે ક્યારેક મળ દ્વાર ઉપરથી લોહી પણ નીકળતું હોય છે તો તેને ઠીક કરવા માટે તમારે થોડી અમરવેલ લેવી અને તેને પીસીને પસી તેનો રસ કાઢી લેવો અને તે કાઢેલા રસને તમને થયેલા હરસ ઉપર લગાડવાથી ખુબજ ફાયદો થાય છે તથા તમને થયેલા હરસ પણ સાવ મટી જાય છે અને તમને એકદમ રાહત થાય છે .
કેન્સર મટાડે છે અમરવેલના પાન : મિત્રો જો તમને કેન્સર થવાના લક્ષણો જણાતા હોય અથવા તો કેન્સર થયું હોય તો તેને મટાડવા માટે થોડા અમરવેલ ના પાન ને ભેગા કરો ત્યારબાદ તે પાન માંથી રસ કાઢી નાખો અને તેનું સેવન કરવાથી કોઇપણ પ્રકારનું જો તમને કેન્સર હોય તો તે સાવ મટી જાય છે અને તમને રાહત થાય છે . તમારે દોઢ થી લઈને બે મહિના સુધી સતત અમરવેલ માં પાનના રસનું સેવંન કરવાથી ફાયદો થાય છે .

ડાયાબિટીસ દુર કરે છે અમરવેલ : અમરવેલ તમને ડાયાબીટીશ ને લગતી કોઈપણ પ્રકારની સમસ્યા થતી હોય તો તેને મટાડવા માટે અમરવેલ નો પાનનો રસ ખુબજ ઉપયોગી થશે . જો તમને ડાયાબીટીસ ને લીધે તમારા શરીર ઉપર કોઇપણ ઘા વાગવાથી પાકતું હોય અથવા તો તમારી પાકની માટી થઇ ગઈ હોય તો તેના યોગ્ય ઈલાજ કરવા માટે અમરવેલના પાંદડા રસ પીવાથી ખુબજ ફાયદો થાય છે તથા ડાયાબીટીશ નો કાયમી માટે દુર થઇ જાય

અમરવેલના પાન બધા જ પ્રકારના રોગોને મટાડવા માટે ખુબજ ઉપયોગી થાય છે . તમારી અંદર રહેલી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે તથા અમરવેલ નો ઉકાળો પીવાથી ફાયદો થાય છે . અમરવેલને તડકામાં સુકવીને પસી તેનો પાઉડર બનાવી લેવો અને પસી થોડો થોડો દરરોજ સેવન કરવાથી ફાયદો થાય છે તથા તમને થતી પીડામાં પણ એકદમ ફાયદો થાય છે .

અમરવેલને તલ, નારિયેળ અને દિવેલના તેલમાં ઉકાળી તેલ બનાવ્યું છે.
હુ અહીં એક વાતની ચોખવટ કરીશકે આવી વનસ્પતિ કે ઔષધીનો અમે ઉપયોગ કર્યો પછી આના વિષે મને વધુ માહિતી જાણવાની જિજ્ઞાસા થાય છે. અને આ મારી જિજ્ઞાસા તમને નવી પોસ્ટ દ્રારા મુકુ છું.

ઉપયોગ કરતા પહેલા જાણકાર અનુભવીનુ માગૅદશૅન લેવુ હિતાવહ છે.

સંકલન : Hemant Mistry

માહિતી: social media

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *