રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ હવે વધુ સુદ્રઢ બનશે. ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગઈ.”
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવી સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાનો છે. મંત્રીશ્રીએ ખાસ કરીને કુપોષણ, શિશુ મૃત્યુદર, માતા મૃત્યુદર અને એનિમિયા જેવા ગંભીર પડકારોને નાથવા પર ભાર મૂક્યો હતો.”
આ મિશનને સફળ બનાવવા માટે, રાજ્ય સરકારે અગ્રણી સંસ્થાઓ જેવી કે SRK નોલેજ ફાઉન્ડેશન, ગેટ્સ ફાઉન્ડેશન અને IIPH-ગાંધીનગર સાથે પરામર્શ કરી સહયોગના દ્વાર ખોલ્યા છે.”
https://youtube.com/shorts/48HGU_g3FSM?feature=share
નવીન ટેકનોલોજી અને સમુદાય-કેન્દ્રિત અભિગમ સાથે, ગુજરાતના આદિવાસી વિસ્તારોના આરોગ્ય ક્ષેત્રે આગામી સમયમાં મોટું હકારાત્મક પરિવર્તન આવશે તેવો મંત્રીશ્રીએ દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.”

*આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી* એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા