શ્રી ગુજરાતી ભગિની સમાજ હૈદરાબાદ સ્થાપના વર્ષ – ૧૯૪૩ પ્રસ્તુત કર્તા :- ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ.

શ્રી ગુજરાતી ભગિની સમાજ નો પીકનીક નો કાર્યક્રમ તા.૧૦/૨/૨૬. મંગળવાર ના રોજ રામેશ્વરમ ગોલ્ડન શિવલિંગ ટેમ્પલ યાદગીરી સ્થળ
માં આયોજિત કરવામાં આવ્યું હતું. આમાં દોઢસો બહેનો એક દિવસીય
તીર્થ યાત્રા નાં પર્યટન માં આવી હતી. અગાઉ થી બધા એ નામ લખાવી લીધાં હતાં. પ્રગતિ કોલેજ – કોઠી –
હૈદરાબાદ થી
ત્રણ બસો સમયસર ઉપડી હતી. આ યાત્રા
સ્થળ શહેર થી સાઈઠ કિલોમીટર દૂર છે. શ્રી ગુજરાતી ભગિની સમાજ હૈદરાબાદ ની કમિટી બહેનો આ પ્રમાણે છે.
તેઓ એ તીર્થ યાત્રા નાં આરંભ થી અંત સુધી સારી કામગીરી કરી હતી. કોઈ પણ નવા સ્થળે પર્યટન માં જવાનું હોય તો કમિટી નાં હોદ્દેદારો પહેલાં એ સ્થળ ની મુલાકાત લઈ આવે. સરખી તપાસ કરી ને પછી જ બધી બહેનો માટે પર્યટન નું આયોજન કરે છે.
શ્રી ગુજરાતી ભગિની સમાજ મહિલા મંડળ ની કમિટી :-
પ્રમુખ : આરતી પુરોહિત
ઉપ પ્રમુખ: રીટા પટેલ સેક્રેટરી: વિજલ મહેતા
જો.સેક્રેટરી: ભાવના તન્ના ટ્રેઝરર : ઈન્દુ ગણાત્રા
સલાહકાર: અરૂણા શાહ
કમિટિ મેમ્બર્સ દીપા જસાણી રીતુ મહેતા આરતી પટેલ મિતલ દેઢિયા

બસમાં સૌએ સાથે મળી ને હનુમાન ચાલીસા ગાયી તેમજ ભજન ગાયાં.
અમને સૌને કમિટિ બહેનો એ સાથે લીધેલ ગરમા ગરમ બટેટાં પૌવા નો નાસ્તો કરાવ્યો.
પછી એ મંદિર બાબતે અમને સરખું સમજાવ્યું.
જોત જોતામાં
અમારું નિર્ધારિત સ્થળ આવી ગયું. દક્ષિણ ભારતીય શૈલી નું મંદિર છે. મુખ્ય ગર્ભગૃહ માં આઠ કિલો શુધ્ધ સોનાનું શિવલિંગ છે. આજુબાજુ એક હજાર ની ઉપર ની સંખ્યામાં આજુબાજુ અલગ અલગ જાતનાં શિવલિંગો સ્થાપિત કરવામાં આવ્યાં છે. એમાં વચ્ચે વચ્ચે માતાજી નાં સોનાનાં શ્રીચક્રો હતાં. જે શ્રી યંત્રો જેવાં લાગતાં હતાં. અમારો ઓટોવાળો બધી માહિતી સવિસ્તાર તેલુગુ માં સમજાવતો હતો. વચ્ચે એક
અખંડ હવન નાં દર્શન કરાવ્યાં એમાં હવન સામગ્રીઓ આપણે આપણી મરજી પ્રમાણે અને શક્તિ પ્રમાણે પૈસા થી ખરીદી ને પધરાવી શકીએ. પછી એ સંત ની મુર્તિ નાં દર્શન કરાવ્યાં જેણે આ મંદિર ની સ્થાપના કરી છે. ૨૦૨૦ માં મંદિર ની સ્થાપના થઈ છે. આ મંદિર ઘણાં મોટા વિસ્તાર માં ફેલાયેલું છે. શહેર થી દૂર એટલે પ્રદૂષણ મુક્ત અને હરિયાળી થી ભરેલું છે. માતાજી નાં શક્તિ પીઠો અને શંકર ભગવાન ની લીલાઓ નાં મુર્તિ સ્વરુપ સ્થાપના કરી છે. બધી જગ્યાએ ભક્ત
સ્વયં સેવિકાઓ
સેવકો હતાં જેઓ મુલાકાતીઓ ને
યોગ્ય માહિતીઓ તેલુગુ માં સમજાવતાં હતાં. બધાં એ દર્શન પછી વિશાળ કેન્ટિન માં ભેગા થવાનું હતું. અગાઉ થી નક્કી થયાં મુજબ અમને શુધ્ધ સાત્વિક દક્ષિણ ભારતીય ભોજન કરાવ્યું હતું. પછી સૌને
નવી જાતનાં તંબોલા ની રમતો રમાડવામાં આવી હતી. સૌને ઘણો આનંદ થયો હતો. આ યાત્રા માં ઘણી બહેનો એકબીજા ને ઘણાં વખતે મળી હતી. તેમજ અન્ય બહેનો સાથે પરિચય અને મિત્રતા થઈ હતી. થોડા સમય માટે જેને
પોતાની રીતે ફરવું હોય તો ફરવા દીધાં હતાં. બધાં એ ચોક્કસ સમયે હાજર થઈ જવાનું હતું. પછી ચા – કોફી અને ગરમાગરમ
પકોડાનો નાશ્તો હતો. પછી સૌ પોતપોતાની બસોમાં ઘરે જવા રવાના થવા માટે ગોઠવાઈ ગયા હતા. નિર્ધારિત સમય પ્રમાણે બધી બસો હૈદરાબાદ શહેર
પહોંચવા માટે ઉપડી ગઈ હતી. સૌ પોત પોતાની રીતે આનંદ માણતાં હતાં. ફરી સૌ જ્યાં થી બસ ઉપડી હતી ત્યાં આવી ગયાં અને સૌ પોતપોતાની રીતે ઘરે પહોંચી ગયા હતાં. યાત્રા દરમિયાન બધી બહેનો એ શ્રી ગુજરાતી ભગિની સમાજ નો આભાર માન્યો હતો. કમિટિ બહેનો એ પણ સૌ બહેનો નો આભાર માન્યો હતો.
આ લખનાર પાસે શ્રી ગુજરાતી ભગિની સમાજ નાં ઘણાં સારા સારા સંસ્મરણો છે. એ આગળ જતાં લખતી રહીશ.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
શ્રીગુજરાતી ભગિની સમાજ નો પીકનીક નો કાર્યક્રમ તા.૧૦/૨/૨૬. મંગળવાર ના રોજ રામેશ્વરમ ગોલ્ડન શિવલિંગ ટેમ્પલ યાદગીરી સ્થળ
માં આયોજિત કરવામાં આવ્યું હતું. આમાં દોઢસો બહેનો એક દિવસીય
તીર્થ યાત્રા નાં પર્યટન માં આવી હતી. અગાઉ થી બધા એ નામ લખાવી લીધાં હતાં. પ્રગતિ કોલેજ – કોઠી –
હૈદરાબાદ થી
ત્રણ બસો સમયસર ઉપડી હતી. આ યાત્રા
સ્થળ શહેર થી સાઈઠ કિલોમીટર દૂર છે. શ્રી ગુજરાતી ભગિની સમાજ હૈદરાબાદ ની કમિટી બહેનો આ પ્રમાણે છે.
તેઓ એ તીર્થ યાત્રા નાં આરંભ થી અંત સુધી સારી કામગીરી કરી હતી. કોઈ પણ નવા સ્થળે પર્યટન માં જવાનું હોય તો કમિટી નાં હોદ્દેદારો પહેલાં એ સ્થળ ની મુલાકાત લઈ આવે. સરખી તપાસ કરી ને પછી જ બધી બહેનો માટે પર્યટન નું આયોજન કરે છે.
શ્રી ગુજરાતી ભગિની સમાજ મહિલા મંડળ ની કમિટી :-
પ્રમુખ : આરતી પુરોહિત
ઉપ પ્રમુખ: રીટા પટેલ સેક્રેટરી: વિજલ મહેતા
જો.સેક્રેટરી: ભાવના તન્ના ટ્રેઝરર : ઈન્દુ ગણાત્રા
સલાહકાર: અરૂણા શાહ
કમિટિ મેમ્બર્સ દીપા જસાણી રીતુ મહેતા આરતી પટેલ મિતલ દેઢિયા

બસમાં સૌએ સાથે મળી ને હનુમાન ચાલીસા ગાયી તેમજ ભજન ગાયાં.
અમને સૌને કમિટિ બહેનો એ સાથે લીધેલ ગરમા ગરમ બટેટાં પૌવા નો નાસ્તો કરાવ્યો.
પછી એ મંદિર બાબતે અમને સરખું સમજાવ્યું.
જોત જોતામાં
અમારું નિર્ધારિત સ્થળ આવી ગયું. દક્ષિણ ભારતીય શૈલી નું મંદિર છે. મુખ્ય ગર્ભગૃહ માં આઠ કિલો શુધ્ધ સોનાનું શિવલિંગ છે. આજુબાજુ એક હજાર ની ઉપર ની સંખ્યામાં આજુબાજુ અલગ અલગ જાતનાં શિવલિંગો સ્થાપિત કરવામાં આવ્યાં છે. એમાં વચ્ચે વચ્ચે માતાજી નાં સોનાનાં શ્રીચક્રો હતાં. જે શ્રી યંત્રો જેવાં લાગતાં હતાં. અમારો ઓટોવાળો બધી માહિતી સવિસ્તાર તેલુગુ માં સમજાવતો હતો. વચ્ચે એક
અખંડ હવન નાં દર્શન કરાવ્યાં એમાં હવન સામગ્રીઓ આપણે આપણી મરજી પ્રમાણે અને શક્તિ પ્રમાણે પૈસા થી ખરીદી ને પધરાવી શકીએ. પછી એ સંત ની મુર્તિ નાં દર્શન કરાવ્યાં જેણે આ મંદિર ની સ્થાપના કરી છે. ૨૦૨૦ માં મંદિર ની સ્થાપના થઈ છે. આ મંદિર ઘણાં મોટા વિસ્તાર માં ફેલાયેલું છે. શહેર થી દૂર એટલે પ્રદૂષણ મુક્ત અને હરિયાળી થી ભરેલું છે. માતાજી નાં શક્તિ પીઠો અને શંકર ભગવાન ની લીલાઓ નાં મુર્તિ સ્વરુપ સ્થાપના કરી છે. બધી જગ્યાએ ભક્ત
સ્વયં સેવિકાઓ
સેવકો હતાં જેઓ મુલાકાતીઓ ને
યોગ્ય માહિતીઓ તેલુગુ માં સમજાવતાં હતાં. બધાં એ દર્શન પછી વિશાળ કેન્ટિન માં ભેગા થવાનું હતું. અગાઉ થી નક્કી થયાં મુજબ અમને શુધ્ધ સાત્વિક દક્ષિણ ભારતીય ભોજન કરાવ્યું હતું. પછી સૌને
નવી જાતનાં તંબોલા ની રમતો રમાડવામાં આવી હતી. સૌને ઘણો આનંદ થયો હતો. આ યાત્રા માં ઘણી બહેનો એકબીજા ને ઘણાં વખતે મળી હતી. તેમજ અન્ય બહેનો સાથે પરિચય અને મિત્રતા થઈ હતી. થોડા સમય માટે જેને
પોતાની રીતે ફરવું હોય તો ફરવા દીધાં હતાં. બધાં એ ચોક્કસ સમયે હાજર થઈ જવાનું હતું. પછી ચા – કોફી અને ગરમાગરમ
પકોડાનો નાશ્તો હતો. પછી સૌ પોતપોતાની બસોમાં ઘરે જવા રવાના થવા માટે ગોઠવાઈ ગયા હતા. નિર્ધારિત સમય પ્રમાણે બધી બસો હૈદરાબાદ શહેર
પહોંચવા માટે ઉપડી ગઈ હતી. સૌ પોત પોતાની રીતે આનંદ માણતાં હતાં. ફરી સૌ જ્યાં થી બસ ઉપડી હતી ત્યાં આવી ગયાં અને સૌ પોતપોતાની રીતે ઘરે પહોંચી ગયા હતાં. યાત્રા દરમિયાન બધી બહેનો એ શ્રી ગુજરાતી ભગિની સમાજ નો આભાર માન્યો હતો. કમિટિ બહેનો એ પણ સૌ બહેનો નો આભાર માન્યો હતો.
આ લખનાર પાસે શ્રી ગુજરાતી ભગિની સમાજ નાં ઘણાં સારા સારા સંસ્મરણો છે. એ આગળ જતાં લખતી રહીશ.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
13/2/2026.