ઝિમ્બાબ્વેના એક અભયારણ્યમાં 50 હાથીઓને મારવાનો આદેશ આપવામાં આવ્યો

ઝિમ્બાબ્વેના એક અભયારણ્યમાં 50 હાથીઓને મારવાનો આદેશ આપવામાં આવ્યો છે. તંત્રનું કહેવું છે કે સેવ વેલી નામના અભયારણ્યમાં 800 હાથીઓની ક્ષમતા છે, જેની સામે અહીં 2550 હાથીઓ રહે છે. એવામાં હાથીઓની વસતી નિયંત્રણમાં રાખવા તથા સ્થાનિક લોકોને ભોજન મળી રહે તે માટે હાથીઓને મારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાથીને મા*ર્યા બાદ તેમનું માં#સ સ્થાનિક લોકોમાં વહેંચી દેવાશે. નોંધનીય છે કે ગયા વર્ષે પણ અહીં તંત્રએ લોકોના ભોજનની વ્યવસ્થા માટે 200 હાથીને મારવાનો આદેશ આપ્યો હતો.