સંકલનની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ પ્રશ્ન ઉઠાવ્યાં બાદ પોલીસ એક્શનમાં

દીપક જગતાપ, નર્મદા)

નર્મદા જિલ્લા ના બોગસ આવક ના દાખલા કૌભાંડ ની તપાસમાં700 જેટલાં ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરાઈ

રાજપીપલા ખાતે 100 લોકોની પુછપરછ,દાખલાની ખરાઈ કરતી રાજપીપલા પોલીસ

નર્મદા પોલીસ દ્વારા SITની ખાસ રચના કરવામાં આવી

સંકલનની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ પ્રશ્ન ઉઠાવ્યાં બાદ પોલીસ એક્શનમાં આવી

રાજપીપલા, તા.18

નર્મદા જિલ્લામાં આર.ટી.ઈ નો લાભ લેવા માટે બનાવટી આવકના દાખલાઓ કાઢી આપવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે.આ બાબતે નાંદોદ તાલુકાના ભદામ, ગામકુવા, ભચરવાડા, બોરીદ્રા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.આ કૌભાંડમાં અનેક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.જેને લઈ નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે દ્વારા એસ.આઈ.ટી ની રચના કરવામાં આવી છે.

ગઈકાલે સંકલન ની બેઠક માં સાંસદ મનસુખ વસાવા એ આ કેસ બાબતે પ્રશ્ન ઉઠાવ્યો હતો ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે.તમામની વચ્ચે સાંસદ મનસુખ વસાવાએ બનાવટી આવકના દાખલા કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો છે, આ બાબતે સાંસદે જણાવ્યું હતું કે આ મુદ્દે પોલીસે ફરિયાદ તો નોંધી પણ તપાસ કોઈ રાજકીય દબાણ હેઠળ ગોકળ ગતિએ ચાલુ રહી છે.ફરિયાદના આટલા દિવસો થઈ ગયા છતાં કેમ કોઈ આરોપી હજુ પકડાયો નથી.ફરાર આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને નહિ પકડવા પાછળ કોનું રાજકીય દબાણ છે.જોકે હવે સાંસદે મીડિયા સામે પોલીસ પર આક્ષેપ કરતા પોલીસે આ મુદ્દે તપાસ તેજ કરી છે

નર્મદા પોલીસ દ્વારા અત્યારસુધી માં 700 ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવી છે જેમાંથી આજે સુંદરપુરા ના જે લોકો એ દાખલા કાઢવ્યા છેએવા100 થી વધુ લોકો ને રાજપીપલા પોલીસ સ્ટેશન બોલાવી ખરાઈ કરવામાં આવી રહી છેઅને પુછપરછ કરવામાં આવી છે.

ત્યારે SIT ના અધ્યક્ષ લોકેશ યાદવે જણાવ્યું હતું કે આ ખોટા દાખલા માં કોઈ પણ સંડોવાયેલ હશે એમને છોડવામાં આવે નહિ જે લોકો એ દાખલા કાઢવ્યા છે અને જેમને આપ્યા છે એ ખોટા સાબિત થશે તો બન્ને ને આરોપી ગણવામાં આવશે અને એમને જેલ હવાલે કરવામાં આવશે.

આરોપીઓ દ્વારા જિલ્લા ની કોર્ટ માં આગોતરા જામીન બાબતે અરજી કરી છે જેની સામે નર્મદા પોલીસે દલીલ કરી છે કોર્ટ માં તેની કાર્યવાહી ચાલી રહી છે. અને આ ખોટા દસ્તાવેજો ના કેસ માં કોઈપણ સરકારી ઓફિસર કે પ્રાઇવેટ એજન્સી ઇનવોલ્વ હશે તો તેમના પણ નામ આરોપી તરીકે લેવામાં આવશે.આ કેસ માં પોલીસ પર કોઈપણ રાજકીય દબાણ નથી અને પોલીસ નિષ્પક્ષ રીતે કામગીરી કરી રહી હોવાનુંનર્મદા એ.એસ.પી લોકેશ યાદવે જણાવ્યું છે.

તસવીર:દીપક જગતાપ, રાજપીપલા