*આજે ટેલિફોનિક પૂજ્ય બાપુના સ્વાસ્થ્ય અંગે પુચ્છા કરીને આર્શીવચન પ્રાપ્ત કર્યા : પ્રફુલ પાનશેરીયા*
પરમભક્તિની પરંપરા અને સેવાભાવના ઉન્નત પાયાં પર દિનદુઃખીયોના કલ્યાણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર પરબધામના પરમ પૂજ્ય મહંત શ્રી કરશનદાસ બાપુ હાલ સારવાર હેઠળ છે. આજે ટેલિફોનિક પૂજ્ય બાપુના સ્વાસ્થ્ય અંગે પુચ્છા કરીને આર્શીવચન પ્રાપ્ત કર્યા; પૂજ્ય બાપુની હાલ તબિયત સારી છે અને સતત સુધારા પર છે, જે સૌ ભક્તો માટે આનંદની વાત છે.
પરમકૃપાળુ પરમેશ્વર પૂજ્ય કરશનદાસ બાપુને સત્વરે પૂર્ણ સ્વાસ્થ્યલાભ પ્રદાન કરે એવી અંતઃકરણથી પ્રાર્થના.
કાઠીયાવાડની પવિત્ર ધરતી – જૂનાગઢ જિલ્લાના ભેંસાણ સ્થિત સત દેવીદાસ અમર દેવીદાસની આ દિવ્ય પરંપરાનું જીવંતરૂપ પરબધામ માત્ર ધાર્મિક નહિ પરંતુ સામાજિક ક્ષેત્રે પણ માર્ગદર્શક બન્યું છે. પૂજ્ય બાપુના સત્કર્મો, કરુણાભાવ અને નિષ્કામ સેવા સદાય અનુકરણીય છે.