પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના શાસનમાં હિન્દુઓ ઉપરના અત્યાચારના વિરોધમાં વિહિપે આજે રાજપીપલા ખાતે કલેકટરને આવેદનપત્ર આપ્યું
રાજપીપલા તા 18
પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના શાસનમાં હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તેના વિરોધમાં આજે રાજપીપળા ખાતે નર્મદા કલેકટરને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાની માંગ કરી હતી અને હિંદુઓ ઉપર થતા અત્યાચાર અટકાવવાની માંગ કરી હતી
મુર્શિદાબાદ માં થયેલી હિંદુઓની હત્યા અંગે NIAને તપાસ સોંપવાની માગ કરાઈ હતી.ગૌતમ પટેલ મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ નર્મદાએ જણાવ્યું હતું કે બંગાળમાં વકફ બોર્ડ બિલના વિરોધ પર થઈ રહેલા હિંદુઓ પર અત્યાચાર ગુજારાતાં હિંદુ સંગઠનો આ ચલાવી નહીં લે. જો હિંદુઓ પર થતી હિંસા અટકશે નહીં તો દેશભરમાં વિરોધ થશે.
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા