ભાવના મયૂર પુરોહિત હિન્દી સાહિત્ય ની સેવા માટે સમ્માનિત થયાં.

ભાવના મયૂર પુરોહિત એની
હિન્દી સાહિત્ય ની સેવા માટે
સમ્માનિત થયાં.
આપણાં લોકલાડીલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જી લખેલું તેમજ
આપણાં સૌનાં માનીતા લોક
ગાયક હેમુ ગઢવી જી એ ગાયેલું લોકગીત ‘શિવાજી નું
હાલરડું’ ગીત નો ગુજરાતી માંથી હિન્દી માં ભાવાનુવાદ
કરવા માટે તેમને બેસ્ટ પોયેટ્રી
ઓફ ધ યર ૨૦૨૫ નો એવોર્ડ મળ્યો છે.
સભાગાર માં સૌને માથા ઉપર મરાઠી ઢબે પાઘડી બાંધી આપી હતી .


વિવિધ ક્ષેત્ર નાં લોકો નું એવોર્ડ માટે ચયન કરવામાં
આવ્યું હતું.
એવોર્ડીઓ ને શાલ, મોમેન્ટો
અને છબી માં મઢેલું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
CSM9 તરફથી સત્ય નારાયણ જાધવ જી એ આ
એવોર્ડ વિતરણ નાં કાર્યક્રમ નું આયોજન
કર્યું હતું. કુલ ચોત્રીસ એવોર્ડો આપવામાં
આવ્યાં હતાં. સ્થળ બિરલા
પ્લેનેટોરીયમ સભાગાર. તારિખ ૯ મી માર્ચ રવિવારે
સાંજે આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આમાં શહેર નાં ઘણાં
ક્ષેત્રો નાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ ખૂબ જ સફળ થયો હતો. એની ખુબ જ પૂર્વ તૈયારીઓ
કરવામાં આવી હતી.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૩૧/૩/૨૦૨૫.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *