*76માં ગણતંત્ર પર્વ નિમિત્તે વિશ્વ ઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે વૃક્ષારોપણ સાથે ધ્વજવંદન કાર્યક્રમ*

*વિવિધ સ્કૂલના બાળકો તેમજ 1000 થી વધારે સંખ્યાની ઉપસ્થિતિ*

૨૬ મી જાન્યુઆરી, ૧૯૫૦ ના દિવસે ભારતને બંધારણીય આઝાદી પ્રાપ્ત થઈ અને આ દિવસે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું. ભારતની લોકશાહીનો આત્મા બંધારણમાં છે. ભારતીય બંધારણ રાષ્ટ્રીય એકતાની મજબૂત આધારશીલા છે. ત્યારે…લોકો માટે ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા સુનિશ્ચિત કરવાનો દિવસ. રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને ગણતંત્રની રક્ષા કરવાના સંકલ્પની ઉજવણી અંતર્ગત વિશ્વ ઉમિયાધામ અમદાવાદ જાસપુર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ.

જેમાં આ પ્રસંગે શ્રી ગોરધનભાઈ ઝડફીયા માન. પૂર્વ ગૃહમંત્રીશ્રી એવમ્ ઉપાધ્યક્ષશ્રી, ગુજરાત પ્રદેશ (ભાજપા) ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ અને મુખ્ય મહેમાનશ્રી તરીકે શ્રી જસ્ટીસ જયંતભાઈ પટેલ, પૂર્વ કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિશ્રી,ગુજરાત હાઈકોર્ટ અને શ્રી અજયભાઈ ઉમટ ગ્રુપ એડીટરશ્રી, અમદાવાદ મિરર-નવગુજરાત સમય, શ્રી વી. પી. પટેલ (USA),
પ્રમુખશ્રી, કડી સર્વ વિદ્યાલય, ગાંધીનગર, શ્રી કમલભાઈ રાવલ, રા. અધ્યક્ષ – ભગવા સેના ભારત, કેન્દ્રિય ધર્મ પ્રચારક – સનાતન ધર્મ તેમજ સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ શ્રી આર.પી પટેલ તેમજ હોદ્દેદારશ્રીઓ તથા ભાવિ ભક્તોની ઉપસ્થિતિમાં અને વિવિધ સ્કૂલના બાળકો તેમજ મહિલાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ભવ્ય પ્રજાસત્તાક દિનની મનાવવામાં આવેલ..