નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડનાં 33 માં સ્થાપના દિન નિમિત્તે મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને ઈમેજીકા થીમ પાર્કમાં લઈ જવાયા.

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ નાં 33 માં સ્થાપના દિન નિમિત્તે 18 જેટલા મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓને લોનાવાલાની નજીક આવેલ ઈમેજીકા થીમ પાર્કમાં લઈ જવાયા હતા.આ વિદ્યાર્થીઓએ અહી વિવિધ રાઈડ તથા થીમ શોની મઝા માણી હતી.સાથે આ વિદ્યાર્થીઓને લોનાવાલા-ખંડાલાનાં જોવાલાયક સ્થળો અને વિવિધ પોઈન્ટ પર પણ લઈ જવા માં આવેલ. એડવેન્ચર વાળી આ ટુર માં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ ને ખુબ જ મઝા આવી હતી.