ડાયાબિટીસ / મીઠીપેશાબ ના રોગમાં મામેજવો. .. ડો. બલભદ્ર મહેતા.
મામેજવા વિશે નો આ લેખ… માં દર્શાવેલ ચિકિત્સા ઉપાયો અને પરિણામ સંદર્ભે આયુર્વેદાચાર્યોમાં એક તર્ક ચિંતન આધારીત વૈચારિક જાગૃતતા લાવવા વિશે છે
સાથે સાથે જનસામાન્ય માટે આ બહુમુલ્ય વનસ્પતિ ની મેડિસીનલ વેલ્યુ જણાવી એના સંરક્ષણ અને સંવર્ધન વિષયક જાગૃતતા લાવવાનો એક માત્ર ઉદેશ્ય છે…
આ પોસ્ટનો ઉદેશ્ય નુસખા પ્રચારક વૈદક નો નથી જ જેની ખાસ નોંધ લેવી…
ડાયાબિટીસ / મીઠીપેશાબ ના રોગ માં મામેજવો. ..
સને 1939 ના આયુર્વેદ વિજ્ઞાનના માર્ચ મહિનાના અંકમાં વૈદ્યરાજ ફતેસિંહજી વિભાજી જાડેજા
મુ. ખારચીયા, મોરબી સ્ટેટ. . ની એક કેસ સ્ટડી / પ્રત્યક્ષ કર્માભ્યાસ જન્ય નિષ્કર્ષ પ્રકાશીત થયેલ જેની નોંધ …
🔸 એક વણિક શેઠ ઉ.વ.આ.50 , મુખ્ય લક્ષણોમાં મૂત્ર ત્યાગ બાદ એ સ્થાને કોઈ પણ ૠતુમાં માખી, મંકોડા નો ઉપદ્રવ થતો. .વારંવાર મુત્રપ્રવૃતિ, સાંધા જકડાવવા તથા સાથળ અને પીંડીમાં શૂળ, અનિદ્રા, જામનગર ની લેબોરેટરી માં તપાસ કરાવતા મીઠી પેશાબ નો રોગ આવેલો.
🔸 દોઢ વર્ષ થી એની દવા સાથે દુખાવા દૂર કરવા તેમજ નિંદર માટે અફીણની ગોળીઓ. ચાર આની ભાર સવાર – સાંજ
🔸 વ્યાધિથી કંટાળી ઉપરોક્ત વૈદ્ય ને ત્યાં આયુર્વેદ ચિકિત્સા કરાવી જેમાં
વૈદ્યરાજે, 1.ગુડમાર ના રસ સાથે વસંતકુસુમાકર બે રતી
2. ચંદ્રપ્રભા- શિલાજીત અને લોહ ભસ્મ વાળી
3. આરોગ્ય વર્ધની
4. સંશમની વટી
કયારેક કયારેક જરૂર પડે શુદ્ધ ઝેરકોચલા નુ ચુર્ણ ગળોના તાજા રસ સાથે. .
બે માસ ની દવા કર્યા પછી જરાય ફરક ના પડયો.
👉મિત્રો , પોતાની ચિકિત્સા નિષ્ફળ ગઈ એનો જાહેર માં બહુપ્રસિદ્ધ સામયિકમાં ખુલ્લા દિલે એકરાર કરવો એજ આ વૈદ્ય ને ભૂતદયાપ્રિતી વાળા શ્રેષ્ઠ પ્રાણાચાર્ય સાબિત કરી દે છે. )
🔸 એક દિવસે વૈદ્ય અને દરદી કોઇ ખેડુતના આમંત્રણ થી એના ખેતરે મગફળીના સેકેલા ઓળા ખાવા ગયા. . ત્યાં મોજથી ઓળા આરોગ્યા પછી શેઠને મોઢાનુ ગળપણ અને સ્વાદ બદલવા ત્યાં જ ઉગેલો ‘ મામેજવા ‘ ના પાન ચુંટી ને ખાવા લાગ્યા. . અઢીરૂપીયા ભાર ( આશરે 25 ગ્રામ) મામેજવો ખાધો શરીરમાં સુખ જણાયુ એટલે પાંચેક શેર “મામેજવો” ઘરે લઈ આવ્યા. ..
🔸 શેઠને મામેજવા એ મોજ કરાવી એટલે દિવસે ત્રણ – ચાર વખત બે રૂપિયાભાર મામેજવો એક વાર માં ચાવીને ખાઈ જતાં રાત્રે સૂતાં પહેલા પણ ખાતા..
અસરમાં શરીરમાં સુખ જણાયુ દુખાવા ઓછા થયા મૂત્રપ્રવૃતિ ઘટી અને નિંદર પણ આવી. . ત્રણેક દિવસે … વૈદ્ય પાસે ગયા અને જણાવ્યુ તથા પૂછયુ કે વધુ મામેજવો ખાવાથી નુકસાન તો નથી ને …
🔸 વૈદ્યે, દરદીને જામનગર પુનઃ પેશાબ તપાસ કરાવવા કહ્યુ. . રીપોર્ટ માં આલ્બ્યુમીન તથા ગ્લુકોઝ નુ પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટેલુ જોવા મળ્યુ ..
👉 મિત્રો આ ઘટના સને 1939 ની છે એ વખતે પણ વૈદ્ય ની, એવીડિયન્સ બેઝ ચિકિત્સા પરિણામ વૃત્તિ અને આ જાગૃતતા માટે માન થઈ આવે …
વૈદ્યે ” મામેજવો ” નો તાજો રસ અઢીરૂપીયાભાર લઇ એમાં પાંચ દાણા કાળાંમરી મેળવી દિવસ માં બે વાર લેવાનું સુચવ્યુ સાથે બીજી તમામ દવાઓ બંધ કરાવી..
આહાર માં
સાબુદાણાની દૂધમિશ્રિત કાંજી અને
બાફેલા મગ આદુ, જીરૂ, ધાણા તથા સિંધાલુણ સાથે. .જમવા માં. .
પંદર દિવસે પેશાબની રીપોર્ટ માં ગ્લુકોઝ તથા આલ્બ્યુમીન nil આવ્યુ. .
પરીણામ જાણી અતી ઉત્સાહ માં આવી દરદી એ જાતે બે વાર ની જગ્યાએ ત્રણ વાર મામેજવો નો તાજો સ્વરસ વીસેક દિવસ લેવા નુ ચાલુ રાખ્યુ. .
ભુખ ઉઘડવાથી વૈદ્યે સેકેલા ચણા તથા જવ ની રાબ ( જાવળુ ) છાશ મેળવેલી, મમરા, જુવાર ની ધાણી, તાજા શ્રીફળ નુ કોપરૂ, સુકી દ્રાક્ષ. . ખાવા ની છુટ આપી ..
દરદી ના શરીર અને જીવન માં ઉત્સાહ – શક્તિ વધી. સાડા અગીયાર શેર વજન ની સાથે આનંદ પણ વધ્યો. ..
👉 વૈદ્યજી ની આહાર યોજના માં કોમ્પ્લેક્ષ પ્રોટીન ની પ્રચુરતા ધરાવતા ખાદ્ય દ્રવ્યો છે જેમાં પણ સાથે દીપનીય પાચનીય દ્રવ્યો ઉમેરાયેલ છે… આલ્બ્યુમીન પણ એક પ્રોટીન છે… અને શરીર હૃષ્ટપુષ્ટ પણ પ્રોટીન ના કારણે જ હોય છે.. વિચારશીલ યુક્તિજ્ઞ વૈદ્યજી માટે માન થઈ આવે છે.
👉 આ વૈદ્યરાજ ની એક અનોખી પહેલ એ હતી કે ગ્રામજનો ને સમજાવતા કે, વ્યસન, નાટક, તમાસા, ( એ જમાના માં ફિલ્મ કે સિનેમા ન્હોતા) અને ફેશન માંથી કરકસર કરી તેટલી રકમની બચત કરી આયુર્વેદ ના માસિકો – પુસ્તકો ની ગૃહ લાઇબ્રેરી કે ગ્રામ્ય લાઇબ્રેરી કરો.
મને લાગે છે કે આ લેખ માર્ચ 1939 ના આયુર્વેદ વિજ્ઞાનમાં પ્રકાશિત થયો એ પહેલા કદાચ મામેજવો ડાયાબિટીસની સારવાર માં વપરાતો નહી હોય …
ગામડા ની પ્રજા શરદૠતુ ના પ્રકોપ સમા ટાઢીયો તાવ તથા મરડા ના રોગોમાં મામેજવો ના પાન નુ ચુર્ણ ઘરગથ્થુ ઇલાજ તરીકે વાપરતી હશે. .
સાંપ્રત સમય માં “મામેજવા ઘનવટી” તથા ડાયાબિટીસ ના મોટાભાગના ઔષધ યોગ માં મામેજવા નુ ચુર્ણ નંખાય છે પણ એનો અહિંયા વર્ણવેલ ફાયદો કે પરીણામ મને તો આજ દિન સુધી જોવા મળ્યુ નથી…
જેનુ કારણ કદાચ તાજો મામેજવા નો સ્વરસ મરી સાથે.. તથા દર્શાવેલ આહાર યોજના હોઇ.. શકે.
મામેજવો ( ENICOSTEMMA AXILLARE) એ હિમાલયન કિરાતતિક્ત ની કુલ વનસ્પતિનવર્ગ ની વનૌષધિ છે… નીચેની ઇમેજ આ સાથે દર્શાવેલ છે, મામેજવાની ઓળખ એના વિશિષ્ટ પ્રકાર ના પાંદડા સર્પ ની બહાર નીકળેલી જીભ સમાન રચના ધરાવે છે એ પરથી થઈ શકે છે એનાથી એને સંસ્કૃત માં नागजीह्वा પણ કહે છે. . મૂળ સંસ્કૃત નામ मामेजक પર થી જ ગુજરાતી માં મામેજવો કહેવાય છે. . સફેદ પુષ્પો .. ભાંગરા ની જેમ પત્રકોણ માંથી નિકળે છે એટલે ઓળખ આસન છે. . ચોમાસામાં ઘણી જગ્યાએ કુદરતી ઉગેલો જોવા મળે છે હવે તો ખેતી પણ થાય છે. .