શેઠ સી.એન.વિદ્યાવિહારના અરણ્યમા બનાવાયેલ લેક પાસે પ્રક્રૃતિના સાનિધ્યમા ફાઈન આર્ટસ કોલેજ ના વિદ્યાર્થીઓ માટે એક લાઈવ લેન્ડ સ્કેપ પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ.

શેઠ સી.એન.વિદ્યાવિહારના અરણ્યમા બનાવાયેલ લેક પાસે પ્રક્રૃતિના સાનિધ્યમા ફાઈન આર્ટસ કોલેજ ના વિદ્યાર્થીઓ માટે એક લાઈવ લેન્ડ સ્કેપ પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ.આપણા ગુજરાતના પ્રખ્યાત કલાકાર અને કલાગુરુ શ્રી રવિશંકર રાવલની સ્મ્રુતિમા ‘કલારવિ’ ટ્રસ્ટ તરફથી દર વર્ષે આ ફાઈન આર્ટસ ના શિક્ષણ ના ભાગ રૂપે તમામ વિદ્યાર્થીઓ માટે આ સ્પર્ધા યોજાય છે. દર વર્ષે કોઈક વિશેષ થીમ રાખવામા આવે છે. વિદ્યાર્થીઓ મા આઉટડોર પેઇન્ટિંગ અને કુદરતને સન્મુખ રહીને તેને આલેખવાની આવડત વિકસે તેવો તેનો હેતુ હતો.વિદ્યાર્થીઓ એ વાસ્તવિક તેમજ ક્રિએટિવ અભિગમ સાથે ચિત્રસર્જન કર્યા.જેમાંથી પ્રોત્સાહક ઈનામો કલારવિ ટ્રસ્ટ દ્વારા આપવામા આવશે,તેમજ તે ક્રૃતિઓનું પ્રદર્શન યણ સંસ્થાની આર્ટ ગેલેરીમાં યોજવામાં આવશે. સી.એન.વિદ્યાવિહાર ના આ અરણ્ય ખાતે પ્રકૃતિને વિક્ષેપ વગર વિકસવા દેવામા આવી છે.તેમજ કેટલાય અઓછા જાણીતા ભાગ્યે જ જોવા મળે તેવા વ્રૃક્ષ ઊછેરવામા આવેલ છે.તેમજ પક્ષીઓની અનેક જાતો અહી જોવા મળે છે. શહેર ની મધ્યમા સી.એન.વિદ્યાવિહારનું આ અરણ્ય વાતાવરણ ને જાણે શુદ્ધ બનાવે છે.કલા અને પ્રકૃતિનો અહીં સુભગ સમન્વય જોવા મળ્યો. આમે કુદરત એ સદીઓથી કલાકારોની પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત રહી છે.સંસ્થાના પ્રિન્સિપાલ જીતુ ઓઘાણી અને અધ્યાપકોએ વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન પુરુ પાડ્યુ.

Posted in All