ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ વિભાગ દ્વારા સફાઈ કર્મચારી બહેનોને સાડી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજ રોજ ચૈત્રી એકેમના મંગલ દિવસે નવરાત્રીના શુભારંભમાં પવીત્ર કાર્ય કરવામાં આવ્યુ હતુ. એન.એસ.એસ યુનીટના કોઓંર્ડીનેટર પ્રા.એચ.બી. ચૌધરી તથા પ્રા.મેહન્દ્ર વસાવાએ આ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કર્યુ હતુ. કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે કહ્યું હતુ કે સામાજીક પ્રવૃત્તિઓથી સમાજ તંદુરસ્ત બને છે તથા એક બીજાની નિસ્બતથી માનવતા મેહ્કી ઉઠે છે.
સેવાકીય પ્રવૃત્તિઓથી સમાજ તંદુરસ્ત બને છે: સંજય વકીલ
