ઓમ કૉમ્યુનિકેશન દ્વારા સંસ્કૃત સાહિત્યસંશોધક,વિવેચક વસંત પરીખના ૯૨મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતી

સાહિત્ય પરિષદ,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા સંસ્કૃત સાહિત્યસંશોધક,વિવેચક
વસંત પરીખના ૯૨મા જન્મદિનપ્રસંગે ‘શબ્દજયોતિ’ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘શબ્દજયોતિ’માં ડૉ.વસંત પરીખે પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપ્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ મનીષ પાઠક ‘શ્વેત’એ કર્યું. આ પ્રસંગે સાહિત્યકાર વસંત પરીખના પરિવારજનો સહિત સંસ્કૃત સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.