વટવા ગઝલ સાહિત્ય વર્તુળ ‘સાબીર એવૉર્ડ સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું .કવિ મુસાફિર પાલનપુરી અને કવિ ધૂની માંડલિયા કવિ ‘સાબીર’ વટવા એવૉર્ડથી સન્માનિત થયાં.

તા. ૦૩ માર્ચ રવિવારે સાંજે ૦૫-૩૦ કલાકે, મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરીયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે વટવા ગઝલ સાહિત્ય વર્તુળ ‘સાબીર એવૉર્ડ સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું .કવિ મુસાફિર પાલનપુરી અને કવિ ધૂની માંડલિયા કવિ ‘સાબીર’ વટવા એવૉર્ડથી સન્માનિત થયાં.

આ પ્રસંગે સાહિત્યકાર ભાગ્યેશ જહા અને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની વિશેષ ઉપસ્થિત રહી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કવિ કૃષ્ણ દવેએ કર્યું.આભારવિધિ ડૉ.જીતેન્દ્ર જોશીએ કરી.આ કાર્યક્રમને માણવા સાહિત્યકારો અને કવિતાના ભાવકો-ચાહકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી ન્હોતી.