ટીવીના પ્રખ્યાત અભિનેતાનું નિધન

BIG NEWS: ટીવીના પ્રખ્યાત અભિનેતાનું નિધન

ટીવી ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળેલા ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે નિધન થયું છે. કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું મૃત્યુ થયું હતું. જો કે હજુ સુધી તેમના મૃત્યુ અંગે વધુ માહિતી મળી નથી. અભિનેતાએ અપની બાત, જ્યોતિ, હિટલર દીદી, શપથ, વોરિયર હાઇ, આહત ઔર અદાલત, દિયા ઔર બાતી હમ જેવા ઘણા ટીવી શોમાં અલગ-અલગ પાત્રો ભજવ્યા હતા.