*જડેશ્વર મહાદેવ મંદિરે પિતૃઓ ના મોક્ષાર્થે ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાયો: નવનિયુક્ત ટ્રસ્ટીઓનું કરાયું સન્માન* રમેશ ગોસ્વામી “સારથિ”

હિંદુ સનાતન ધર્મના પવિત્ર ચૈત્ર વદ અમાસના અંજાર જડેશ્વર મહાદેવ મંદિરે પૂજારી રમણીકગીરી માધવગીરી ગોસ્વામી દ્વારા તેમના પરિવારના કૈલાસવાસી થયેલા દિવંગત આત્માના સ્મરણાર્થે શ્રી શિવવંશ મહિલા સત્સંગ મંડળ (ગોસ્વામી) ના હેમલતાબેન વિનોદગીરી ગોસ્વામી, ક્રિષ્નાબેન કિરીટગીરી ગોસ્વામી,હંસાબેન લક્ષ્મણ ગીરી ગોસ્વામી, મીનાબેન બળદેવપુરી ગોસ્વામી,મીનાબેન પ્રવીણગીરી ગોસ્વામી, વેલુબેન દામોદરગીરી ગોસ્વામી, ગીતાબેન રમણીકગીરી ગોસ્વામી તથા જયાબેન ગોસ્વામી દ્વારા ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શ્રી અંજાર દશનામ ગોસ્વામી સમાજના અગ્રણી અને અંજાર દશનામ ગોસ્વામી સમાજના પૂર્વ ઉપપ્રમુખ ઇશ્વરપુરી પ્રેમપુરી ગોસ્વામી તથા ભગવાનપુરી હીરાપુરી ગોસ્વામી હાજર રહ્યા હતા.
શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ અમૃતગીરી પી. ગોસ્વામી અને મહામંત્રી ત્રંબકપુરી એ.ગોસ્વામી દ્વારા નિમણૂંક કરવામાં આવેલ.શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના નવ નિયુક્ત અંજાર વિભાગના ટ્રસ્ટી બળદેવપુરી અમરપુરી ગોસ્વામીની નિમણૂક કરવામાં આવતા શ્રી જડેશ્વર મહાદેવ મંદિર મહોત્સવ સમિતિ તથા શ્રી શિવવંશ મહીલા સત્સંગ મંડળ ,અંજાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *