સદગત ઝવેરીલાલ મહેતાની અંતિમવિધિની માહિતી.

ગુજરાતના નહીં સમગ્ર ભારતના શ્રેષ્ઠ અને નામાંકિત કહી શકાય તેવા તસવીરકાર ઝવેરીલાલ મહેતાએ 27મી નવેમ્બર, 2023ના રોજ આપણી વચ્ચેથી 97 વર્ષે વિદાય લીધી છે.

તેમની અંતિમવિધિ

29મી નવેમ્બર, 2023, બુધવારના રોજ અમદાવાદમાં ઢળતા બપોરે 4:30 વાગ્યે વીએસ હૉસ્પિટલના સ્મશાનગૃહમાં થશે.

તેમની અંતિમ યાત્રા તેમનાં દીકરી કાનનબહેન જોશીના ઘરેથી નીકળશે. (એકાદ મહિનાથી તેઓ પોતાની દીકરીના ઘરે હતા.)

સરનામું આ પ્રમાણે છેઃ

કાનનબહેન જોશી,
59/એ, શારદા સોસાયટી,
12 નંબરની લેન,
ભીમનાથ મહાદેવની બાજુમાં,
પાલડી અમદાવાદ

તેમના દીકરા મનનભાઈ વિદેશમાં છે. તેમના આવ્યા પછી અંતિમવિધિ કરાશે.

મને આ માહિતી ઝવેરીલાલ મહેતાનાં દોહિત્રી પલકબહેન જોષીએ ફોન પર આપી છે.

ઘણા મિત્રોને આ માહિતીની જરૂર હતી તેથી સોશિયલ મીડિયામાં હું આ માહિતી મૂકી રહ્યો છું.

પદ્મશ્રી ઝવેરીલાલ મહેતા અમારા ઉત્તમ વડીલ મિત્ર હતા. અમારે પારિવારિક સંબંધ હતો. નિકટનો નાતો હતો. તેમના વિશે હું વિગતવાર લેખ પછીથી લખીશ.

કોઈ અરજન્ટ કામ હોય તો આપ ઝવેરીલાલ મહેતાના ફોન નંબર 9898988026 પર સંપર્ક કરીને તેમની દીકરી કાનનબહેન અથવા તેમના પરિવારજનો સાથે વાત કરી શકો.

– રમેશ તન્ના, (પૉઝિટિવ મીડિયા 9824034475)

One thought on “સદગત ઝવેરીલાલ મહેતાની અંતિમવિધિની માહિતી.

  1. Web 版Skype 是享受您在傳統型應用程式中熟悉的Skype 功能最簡單的方法,而不需要下載。 您可以登入Web 版Skype 然後立即開始聊天。https://www.skypeie.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *