કુમકુમ મંદિર london દ્વારા લેક ડિસ્ટ્રીક ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી..

કુમકુમ મંદિર london દ્વારા
લેક ડિસ્ટ્રીક ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી..

વધુ સમાચાર જોવા માટે નીચે આપેલા ફોટો પર ક્લિક કરો અને ગ્રુપમાં જોડાવો

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ મણીનગર ના સંતો અત્યારે London ના સત્સંગ પ્રવાસે છે. તેઓ London થી 250 માઈલ દૂર આવેલા વિન્ડર મેયર – લેક ડિસ્ટ્રીક ખાતે પધાર્યા હતા. ત્યાં સત્સંગ સભા યોજવામાં આવી હતી.
ત્યારબાદ ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને સૌ સંતો હરિભક્તોએ બોટમાં ધૂન ભજન કીર્તન પણ કર્યા હતા.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમ વત્સલ દાસજી જણાવ્યું હતું કે… આ લેક ડિસ્ટ્રિક્ટની ભૂમિ શ્રી મુક્તજીવન સ્વામીબાપા ના ચરણોથી પાવન થયેલી ભૂમિ છે.

તેઓશ્રીએ ઇસ.1979 માં અહીંયા છેલ્લી સત્સંગ સભા યોજી હતી..
અને આ જગ્યાએ કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદ પ્રિયદાસજી સ્વામી પણ ત્રણ વખત પધારેલા છે અને સત્સંગ સભા યોજી છે. તેથી આ પાવનકારી ભૂમિની સ્મૃતિ માટે આપણે જ્યારે જ્યારે london આવીએ છીએ ત્યારે અહીંયા સત્સંગ સભા યોજવામાં આવે છે.
અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ જે જીવન સંદેશો આપ્યો છે તેને યાદ કરાવવામાં આવે છે.. તેને આપણે સૌ કોઈએ જીવનમાં ઉતારવા માટે પ્રયત્ન કરવો જોઈએ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *