મહારાષ્ટ્ર અને ઓરીસ્સા ખાતે અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

 

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મહારાષ્ટ્ર અને ઓરીસ્સા ખાતે બે અલગ અલગ થયેલા માર્ગ અકસ્માતમાં ૨૨ લોકોનાં દુઃખદ મોત થયા છે. એ ઉપરાંત અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઓરિસ્સા માં દિગપહાડી વિસ્તારમાં બે બસ વચ્ચે થયેલ દુર્ઘટનામાં ૧૨ લોકોનાં મોત થયા છે અને ૮ લોકો ઈજાગ્રસ્ત થયા છે. એ જ રીતે મહારાષ્ટ્રમાં રત્નાગિરિ વિસ્તારમાં પણ ખાનગી કાર અને ટ્રક વરચે સર્જાયેલા અકસ્માતમાં ૧૦ લોકોનાં મોત થયા છે.

માર્ગ અકસ્માતની આવી કરુણ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ૨૨ લોકોને પૂજ્ય મોરારીબાપુ એ શ્રઘ્ધાંજલિ પાઠવી છે. પૂજ્ય બાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને ₹15,000 ની( રુપિયા પંદર હજાર ) શ્રી હનુમંત સંવેદના રાશિ અર્પણ કરી છે. ઇજાગ્રસ્ત લોકોને પણ પ્રત્યેક વ્યક્તિ ને ૫૦૦૦ (અંકે રૂપિયા પાંચ હજારની )સહાય અર્પણ કરી છે. કુલ મળીને રુપિયા ૩,૭૦,૦૦૦ (અંકે રૂપિયા ત્રણ લાખ સીતેર હજારની )આ સહાયતા રાશિ મહારાષ્ટ્ર ,ઓરિસ્સા તેમજ કલકત્તા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા વિતરિત કરવામાં આવશે. મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે અને માર્યા ગયેલા મુસાફરોના પરિવાર પ્રત્યે દિલસોજી પાઠવી છે

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *