દિલ્હીના નેહરુ મેમોરિયલનું નામ બદલવામાં આવ્યું છે. હવે નેહરુ મેમોરિયલ PM મેમોરિયલ તરીકે ઓળખાશે. નામ બદલવા પર કોંગ્રેસે કહ્યું કે, નામની સંકુચિતતા અને બદલો લેવાનું બીજું નામ મોદી છે. નેહરુ મેમોરિયલ સંગ્રહાલય અને પુસ્તકાલયની સ્થાપના જવાહરલાલ નેહરુની યાદમાં એક સ્વતંત્ર સંસ્થા તરીકે કરવામાં આવી હતી. આ જગ્યા દેશના પ્રથમ પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન તીન મૂર્તિ ભવનમાં આવેલી છે.
દિલ્હીના નેહરુ મેમોરિયલનું નામ બદલાયું.
