શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી નાં ચેરમેન વૈકુંઠ જાની ની સાઈઠ મી લગ્ન જયંતી ની ઉજવણી :- ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ.

શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ
હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી :-

વૈકુંઠ ભાઈ જાની જેઓ ૧૯૫૫ થી હૈદરાબાદ માં વસે છે.
શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી નાં ખુબ જ સમર્પિત વડીલ છે. તેઓ પૂર્વ પ્રમુખ શ્રી અને
હાલમાં ચેરમેન અને બોર્ડ એડવાઈઝરી છે. તેઓ નાં
લગ્ન જીવન ને ઓગણસાઈઠ
વર્ષ પૂર્ણ થતાં સાઈઠ માં વર્ષ માં પ્રવેશ કર્યો છે.
૩૧ મી મે નાં રોજ શ્રી વૈકુંઠ ભાઈ જાની અને તેમનાં ધર્મપત્ની રમાબા ની સાઈઠ મી લગ્ન જયંતી ઉજવવામાં આવી.
આ પ્રસંગે હાલ નાં પ્રમુખ શ્રી એ સુચના આપી હતી.

સૌ પોતપોતાની રીતે આદરણીય વડીલ શ્રી વૈકુંઠ ભાઈ નાં નિવાસ સ્થાને પહોંચી ગયા હતાં, જે હૈદરાબાદ નાં કુકડપલ્લિ
વિસ્તારમાં સ્થિત છે.
એમનાં પરિવાર સાથે આ
પ્રસંગ ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.
પૂર્વ પ્રમુખ અને હાલ નાં
એડવાઈઝરી બોર્ડ નાં માનનીય વડીલ શ્રી બિપિન ભાઈ એમનાં ધર્મ પત્ની
આદરણિયા કુસુમ બેન,
આદરણીય પ્રમુખ શ્રી તરુણ ભાઈ મહેતા, ખજાનચી શ્રી અજયભાઈ ઓઝા એમનાં
પત્ની દિપ્તી ઓઝા, શ્રી મયૂર પુરોહિત એમનાં પત્ની ભાવના પુરોહિત, ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ જાની,

પુત્ર ભરત ભાઈ જાની પુત્રવધુ ભવાની જાની,
બાળકો હેમા અને જય
આ સૌએ સાથે મળીને
વડીલ દંપતિ નું સન્માન કર્યું
હતું. બંને ને ગુલાબ નાં હાર
પહેરાવ્યાં બંને ને શાલ ઓઢાળવામાં આવી . મુરબ્બી વડીલ શ્રી વૈકુંઠ ભાઈ ને પાઘડી પહેરાવી.
જેઓ આવી નહોતાં શક્યાં
તેઓ એ ફોન પર અભિનંદન
પાઠવ્યા હતાં.
આદરણીય વડીલ શ્રી
વૈકુંઠ ભાઈ એ બ્રહ્મ સમાજનાં
ઉત્કર્ષ માટે સારી સારી શિખામણ આપી.
ઉપસ્થિત સૌને પ્રેમ પૂર્વક અને આગ્રહ પૂર્વક જમાડવામાં આવ્યાં.
બ્રહ્મ સમાજ ને લગતી
ઘણી સારી સારી વાતો સૌએ
મળી ને કરી. પછી સૌ રાજીખુશીથી છુટાં પડ્યાં.
પરિવાર ની આત્મિયતા હ્રદય ને સ્પર્શિ ગઈ.

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
૨/જૂન /૨૦૨૩.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *