દંતેવાડામાં થયેલા નકસલી હુમલામાં શહીદ થયેલા જવાનોને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય

 

 

ગઈકાલે દંતેવાડાના જંગલોમાં પેટ્રોલીંગ દરમિયાન સુરક્ષા જવાનો પર નક્સલવાદીઓ એ ભયાનક હુમલો કર્યો હતો અને એ ગોઝારા હુમલામાં સ્થાનિક પોલીસનાં ૧૧ જવાનો શહીદ થયા છે. પૂજ્ય મોરારિબાપુ ની કથા નખત્રાણા કચ્છ માં ચાલી રહી છે અને તે દરમિયાન આ હિચકારા હુમલામાં માર્યો ગયેલા જવાનો પ્રતિ પૂજ્ય મોરારીબાપુએ એમની સંવેદના દર્શાવી છે. અને પ્રત્યેક શહિદીને પ્રાપ્ત જવાનોનો પરિવારજનોને રુપિયા ૧૧ હજાર લેખે કુલ મળીને રુપિયા એક લાખ એકવીસ હજાર ની સહાય અર્પણ કરી છે.

પૂજ્ય મોરારીબાપુ એ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવાર પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *