યુ-ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા નારણપુરામાં આયુર્વેદિક મેડિકલ કેમ્પ
અમદાવાદ, 13 સપ્ટેમ્બર, 2026 – યુ-ફર્સ્ટ ફાઉન્ડેશન દ્વારા, વિટાલિસિસ અને અનંત આયુર્વેદ ના સહયોગથી, નારણપુરાના અર્જુન ગ્રેસ સોસાયટી માં મફત આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

આ કેમ્પમાં 100થી વધુ લોકોએ ભાગ લીધો અને મફત કન્સલ્ટેશન સાથે બ્લડ પ્રેશર તથા ડાયાબિટીસની તપાસનો લાભ લીધો. વિટાલિસિસ તરફથી વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ આયુર્વેદિક અવિટોન ટેબ્લેટ્સ- ઇમ્યુનિટી બૂસ્ટર અને અવિટોન એલિક્સિર – શ્વસનતંત્રના આરોગ્ય માટે–નું વિતરણ મફત કરવામાં આવ્યું.
યુ-ફર્સ્ટફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી વિનયભાઈ ભટ્ટઆ સેવા કાર્ય માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે ડૉ. સંજય હડિયા અને તેમની ટીમની નિષ્ઠાપૂર્વકની સેવા માટે વિશેષ આભાર માન્યો. શ્રી વિનયભાઈ ભટ્ટે વધુ આયુર્વેદિક કેમ્પોનું આયોજન કરવા પ્રોત્સાહન આપ્યું, જેથી સમાજ વધુ સ્વસ્થ અને સશક્ત બને.

આ કેમ્પ દ્વારા આયુર્વેદિક પદ્ધતિઓની પ્રિવેન્ટિવ હેલ્થકેરમાં વધતી ભૂમિકા સ્પષ્ટ થઈ અને યુ-ફર્સ્ટ ફાઉન્ડેશનની સમુદાય કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બની.