નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે ખભો મિલાવી એકતાનું આકસ્મિક સહાય ભંડોળ એકત્રિત કર્યું. :કવિ/લેખક-જયેશ શ્રીમાળી પલિયડ*

*નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજે સમાજના પરિવાર પર આવી પડેલ વિપત્તિના સમયમાં ખભે ખભો મિલાવી એકતાનું આકસ્મિક સહાય ભંડોળ યોજના અંતર્ગત સમાજના લોકોએ દાતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડી ગુજરાતના તમામ સમાજ અને ગુજરાત રાજ્યને સમાજ ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.*

*થોડા દિવસો પહેલાં વિઠોડા ગામના અને હાલ ખેરાલુ ખાતે રહેતા લેખક/કવિ એવા શ્રી મનુભાઈ શ્રીમાળી યુવાન પુત્રનું જેનિસ પોતાની નવ જન્મીત દીકરીને જોવા માટે ઘરે જતાં રસ્તામાં માર્ગ અકસ્માતે અકાળે અવસાન થતાં નવ પરગણા બસો બ્યાસી ગુરુ બ્રાહ્મણ સમાજની “આકસ્મિક સહાય ભંડોળ યોજના” હેઠળ શ્રી મનુભાઈના પરિવારને સાંત્વના દિલસોજી પાઠવવા તેમના દુ:ખમાં સહભાગી થવા આર્થિક સહાય કરવા સમાજમાં અપીલ કરવામાં આવેલ અને શ્રી મનુભાઈના પરિવારના દુઃખમાં સહભાગી બની ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે માત્ર ૨૪ કલાકમાં “(૧,૧૪,૬૬૬/-) એક લાખ ચૌદ હજાર છસો છાસઠ જેવી માતબર રકમનો ફાળો સમાજના લાગણીસભર,સમાજ હિતેચ્છુ દાતાઓ દ્વારા ફાળો નોંધાવવામાં આવ્યો.જે તમામ ફાળો શ્રી મનુભાઈ શ્રીમાળીને અર્પણ કરવામાં આવશે.નવ પરગણા 282 સમાજની સંગઠન શક્તિ અને એક્તાના દર્શન થયા*
*જય હો મારું 282 ,જય હો ગુજરાત જય હો ગુરુ બ્રહ્મ. જય તેજાનંદ સ્વામી*
*સંકલન- કવિ/લેખક-જયેશ શ્રીમાળી પલિયડ*