એચ.એ.કોલેજના પ્રિન્સીપાલે આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સ સંદર્ભે વક્તવ્ય આપ્યુ


ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નોલેજ કોન્સોર્સીયમ ઓફ ગુજરાત આયોજીત રાધનપુરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં “ઉચ્ચ શિક્ષણમાં આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સના સાધનોની અસર”વિષય ઉપર રાષ્ટ્રીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.આ કોન્ફરન્સના મુખ્ય વક્તા તરીકે અમદાવાદ શહેરની એચ.એ.કોલેજના પ્રિન્સીપાલ તથા ઓલ ઇન્ડિયા કોલેજ પ્રિન્સીપાલ્સ એશોશીએશનના પ્રમુખ સંજય વકીલે કહ્યું હતું કે AI માત્ર ટેકનોલોજીનો વિષય નથી પરંતુ સમગ્ર વિશ્વ સાથે જોડાયેલા માનવજાતના ભવિષ્ય સાથે જોડાયેલો મુદ્દો છે. AI માનવશાસ્ત્ર ,વિજ્ઞાન અને વાણિજ્યની પ્રગતીમાં ટકાઉ અને ભરોસાપાત્ર ભાગ ભજવી શકે છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે આપણે માત્ર ટેકનોલોજી શીખવુ પુરતુ નથી તેની સાથે વિચારવાની રીત પણ શીખવી પડશે. ટેકનોલોજીની સાથે નૈતિકતા તથા માનવતાનું પણ નિર્માણ કરવું પડશે. AI નો ઉપયોગ સમજદારીથી તથા જવાબદારીપૂર્વક કરીશુ તો માનવજાતનુ ભવિષ્ય ઉજળુ તથા આશીર્વાદરૂપ સાબિત થઇ શકે છે. આ નેશનલ કોન્ફરન્સમાં ૨૩૯ ડેલિગેટ્સે ભાગ લીધો હતો. ઘણી મોટી સંખ્યામાં અધ્યાપકો તથા પીએચડી સ્કોલર્સે રિસર્ચ પેપર્સ રજૂ કર્યા હતા. કોલેજના પ્રિન્સીપાલ સી.એમ.ઠક્કર તથા કોઓર્ડીનેટર પ્રા. ચિરાગ રાવલે સમગ્ર કાર્યક્રમનું આયોજન તથા સંચાલન કર્યુ હતુ.