રાજપીપળાના પ્રજા વત્સલ મહારાજા વિજય સિંહજી ગોહિલની ૧૩૬મી જન્મજયંતિ ઉજવાઈ

રાજપીપળાના પ્રજા વત્સલ મહારાજા વિજય સિંહજી ગોહિલની ૧૩૬મી જન્મજયંતિ ઉજવાઈ

સ્વ વિજય સિંહ મહારાજા એ રાજપીપળા રાજ્ય ને 567 દેશી રજવાડામાં સરદાર પટેલનીસહમતી થી ભારત સંઘમાં ભેળવવા સહી કરનારા પ્રથમ રાજવી હતાં

રાજપીપલા, તા. 30

આજે ૩૦મી જાન્યુઆરી ના રોજ રાજપીપળાના પ્રજા વત્સલ મહારાજા વિજય સિંહજી ગોહિલની ૧૩૬મી જન્મજયંતિ રાજવી પરિવાર ના સદસ્યોંની ઉપસ્થિતિમાં ગૌરવ ભેર ઉજવાઈ હતી.


રાજપીપલા વિજય ચોક ખાતે
રાજવી પરિવારના હાલના રાજા મહારાજા રઘુવીર સિંહજી ગોહિલ,
રાજવી પરિવારના સદસ્ય વર્લ્ડ સેલિબ્રિટી યુવરાજ માનવેન્દ્ર સિંહ,
તેમજ રાજવી પરિવારના સદસ્યો ઇન્ટેક ચેપટર ના આગેવાનો તથા નગરજનો ની ઉપસ્થિતિમાંસ્વ વિજય સિંહ મહારાજા ની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી 136મી જન્મ જયંતિ ગૌરવ ભેર ઉજવી હતી.

જેમણે પ્રજાની સુખાકારી માટે રાજપીપલા નો વિકાસના ઘણાપ્રજા લક્ષી કરેલા કામોને યાદ કર્યા હતાં.
જેમાં રાજપીપલા ની શાળા કોલેજો, રેલવે લાઈન, હોસ્પિટલ વગેરે કરેલા સુખાકારી ના કામો ને યાદ કર્યા હતાં.
ખાસ કરીનેસ્વ વિજય સિંહ મહારાજા એ રાજપીપળા રાજ્ય ને 567 દેશી રજવાડામાં સરદાર પટેલનીસહમતી થી ભારત સંઘમાં ભેળવનારા ગુજરાત રજવાડાના પ્રથમ શાસકરાજા હતાંજેમણે પ્રથમ સહી કરી હતી એવા પ્રજાવત્સલ રાજાનીજન્મ જયંતી ઉજવીતેમની જન્મ જ્યંતી ઉજવી હતી.

તસવીર :દીપક જગતાપ, રાજપીપલા