કલોલ ખાતે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય અર્પણ કરવામાં આવી

થોડા દિવસો પહેલાં સવારના સમયે કલોલ ખાતે બસ સ્ટેન્ડ નજીક બસની રાહમાં ઊભેલાં મુસાફરો સાથે અચાનક જ એક અન્ય ખાનગી બસ અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ૬ લોકોનાં મોત નિપજયા હતાં અને આઠ લોકો ઘાયલ થયા હતા. પૂજ્ય મોરારિબાપુએ આ લોકોએ ઍક લાખ સાઈંઠ હજાર રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરી છે.
પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને ૨૦ હજાર રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરી છે. કુલ રૂપિયા એક લાખ વીસ હજારની આ હનુમંત પ્રસાદી શ્રી. ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા દ્વારા ચેક સ્વરૂપે મોકલવામાં આવશે. આ ઉપરાંત આ ઘટનામાં ઘાયલ થયેલા ૮ લોકોની વિગતો મેળવવામાં આવી રહી છે અને તેમને પણ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેકને રૂપિયા પાંચ હજાર પ્રમાણે કુલ ચાલીસ હજાર રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવશે. કલોલ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આ રકમ પહોચાડવામાં આવશે.
પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં સ્વજનોને દિલસોજી પાઠવી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો ઝડપથી તેમનું સ્વાસ્થ્ય પુનઃ પ્રાપ્ત કરે તેવી શભેચ્છાઓ પણ પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *