પાકિસ્તાનમાં બિન્દાસ ફરે છે આતંકવાદીઓ: જયશંકર
એક ડચ અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં, વિદેશ મંત્રી એસ જયશંકરે પાકિસ્તાનને ઘેર્યું જયશંકરે કહ્યું- પાકિસ્તાન અને તેની સેના સંપૂર્ણપણે આતંકવાદમાં સામેલ છે. એવું વિચારવું ગેરસમજ હશે કે તેઓ તેમના દેશમાં કાર્યરત આતંકવાદી નેટવર્કથી અજાણ છે. તેમણે કહ્યું, જો શહેરની વચ્ચોવચ હજારો લોકો માટે લશ્કરી તાલીમ કેન્દ્ર છે, તો શું તેમની સરકાર અજાણ હશે?