26/11ના માસ્ટર માઈન્ડ તહવ્વુર હુસૈન રાણાનું અમેરિકાથી ભારતમાં પ્રત્યાર્પણ…કોંગ બ્રિગેડમાં મચ્યો હાહાકાર….!@રમેશ ગોસ્વામી ‘સારથિ’

ફાઈનલી મુંબઇ આતંકવાદી હુમલાનો માસ્ટર માઈન્ડ રાણા છેવટે ભારતમાં લાવવામાં આવ્યો. 166 જેટલા નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. કસાબ સહિત આઠ આતંકીઓને પાકિસ્તાનથી ભારતમાં મોકલવા માટે હાફિઝ સઈદ, હેડલી, રાણાએ આતંકી હુમલો રચ્યો હતો. આ ઘટનાને *હિન્દુ આતંકવાદ* સાબિત કરવા માટે કોંગી દિગ્ગજ નેતાઓ દિગ્વિજયસિંહ, પૃથ્વીરાજ ચૌહાણ, અહેમદ પટેલ, ખડગે, અશોક ગેહલોત… સહિતનાં મેદાનમાં ઉતર્યા હતા. અગાઉથી તૈયાર કરવામાં આવેલ પુસ્તક *the ભગવા આતંક* નું વિમોચન આનન ફાનન કરવામાં આવનાર હતું. દરમિયાન, મુંબઈમાં આતંકી હુમલો જારી હતો. પણ એક આતંકી ક્સાબ જીવતો ઝડપાઇ જતાં કોંગ્રેસીઓએ સ્ક્રિપ્ટમાં છેલ્લી ઘડીએ મરીન ડ્રાઈવમાં પુસ્તક વિમોચનનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો. ત્યારબાદ કસાબની આગતા સ્વાગતા પર પણ અનેક સવાલો ખડા થયા હતા. વર્ષો સુધી બિરિયાનીની જયાફત ઉડાવી હતી. કોલગર્લ પણ તિહાડની ખાસ અંડા સેલમાં મોકલવામાં આવતી. કહેવાય છે કે આતંકી કાસબને રાતોરાત દુબઈ મોકલી દેવાયો હતો. જસ્ટ થિંક, જે કૉંગ્રેસની રાજમાતા સોનિયા ગાંધી આતંકીના મોત પર ફૂટફૂટ કરીને રડી પડી હોય, એ ભલા જીવતા પકડાયેલા આતંકીને ફાંસી થવા દે? એક સવારે બ્રેકિંગ ન્યૂઝ આપવામાં આવી: કસાબને ફાંસી….! એ અગાઉ તેને વિદેશ ભગાડી દેવામાં આવેલ. મુર્ખ હિંદુઓ રાજી થઈ ગયા.
પણ…
26/11ના માસ્ટર માઈન્ડ રાણાને અમેરિકાથી ભારત લાવવા મોદી સરકારે જી- જાન લગાવી દીધી. છેવટે આજે તેનું પ્રત્યાર્પણ થયું. આ ન્યૂઝ અતિ ગુપ્ત રાખવામાં આવેલ. બ્રેકિંગ ન્યૂઝ આવતાં જ કોંગ્રેસી બ્રિગેડમાં હાહાકાર મચી ગયો છે. મુંબઈના પૂર્વ સીએમ કોંગી દિગ્ગજ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે કસાબની જેમ જ રાણાને પણ સુવિધાઓ આપવામાં આવે…! કોંગી નેતાઓ ગભરાટના માર્યા બફાટ કરવા મંડી પડ્યા છે. એક આતંકીના માનવાધિકારની ચિંતા સતાવવા લાગી છે. અન્ય એક નેતાએ કહ્યું કે આતંકી કહીને તેનું ( રાણા) નું અપમાન ન કરવું જોઈએ. કોર્ટે ક્યાં કહ્યું છે કે તે આતંકવાદી છે…!
આવા બફાટ પાછળનું કારણ એ છે કે આ હુમલામાં ભારતના હિન્દુ નામધારી નેતાઓ પણ સામેલ હતા.! 26/11 બાદ વળતો જવાબ આપવાને બદલે મૌનમોહનસિંઘ ( સોનિયા ગાંધી) ની સરકારે માત્ર કડી નિંદા કરી હતી. પૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે મનમોહન સિંઘ અલ્પ સંખ્યકોની ચિંતા કરતા હતા તથા એક્શન લેવાથી ભાજપને ફાયદો થઈ શકે એનો ડર સતાવતો હતો….!
ચિચાવતની, પાકિસ્તાનમાં 12-1-1961માં જન્મ. પાક સેનાના મેડિકલ ડોક્ટર રહ્યો. લશ્કરે તોઈબા સહિતનાં સંગઠનોમાં જોડાયો. તેના દાદા મદરસામાં ઇસ્લામ ભણાવતા. કટ્ટર જેહાદી સંસ્થાનો માટે નાણાં પણ એકત્ર કરવાની જવાબદારી ઉપાડી. પાક છોડ્યા બાદ કેનેડાની નાગરિકતા મેળવી. ત્યાંથી અમેરિકા ગયો. ત્યાં પણ આતંકી ગતિવિધિઓ કરતો રહ્યો. ડેવિડ હેડલી સહિત અનેક અંગ્રેજો પણ મુંબઇ આતંકી હુમલામાં સાથીદારો હતા. અમેરિકા સાથે સંધિ કરીને ભારતમાં 17 વર્ષ બાદ લાવવામાં આવ્યો છે ત્યારે આ ખૂંખાર નિર્દયી આતંકીને ફાંસીનો માર્ગ મોકળો થયો છે. અલબત્ત, એક સમસ્યા એ છે કે આંતરરાષ્ટ્રિય કાનૂન પ્રમાણે જે દેશમાંથી લાવવામાં આવેલ અપરાધીને જે તે દેશનો મર્શી કાનૂન માનવો પડતો હોય છે. જેમકે
અબુ સાલેમ… પૂર્તગાલીનથી તેને ભારતમાં લાવવામાં આવ્યો. સંધિ પ્રમાણે તે દેશમાં ફાંસીનો હુકમ અમાન્ય ગણાય છે માટે સાલેમને ઉમંરકેદ કરવામાં આવી. પણ આ વાત આતંકી રાણાને લાગુ પડે નહીં. તેની પાસે બે દેશોની નાગરિકતા છે – અમેરિકા, કેનેડા. બંને દેશોમાં ફાંસી આપવામાં આવે છે. માટે ફાંસીનો માર્ગ ખુલ્યો છે. હા,પાકિસ્તાને તેની આદત મુજબ આ અમારો નાગરિક નથી… એવું ઓફિસ્યલી બયાન આપ્યું છે. પણ ભારતમાં કૉંગ્રેસ સક્રિય થઈ ગઈ છે. આતંકીને બચાવવા કોંગી નેતાઓ લવારા કર્યા કરશે. ટીવી ડિબેટમાં વિપક્ષી પ્રવકતાઓ કુતર્ક કર્યા કરશે… પણ મોદી સરકારની આ મોટી સફળતા છે. છેવટે ન્યાય થયો છે. થઈ રહ્યો છે…

Posted in All