
ચોરી કરવી એ ગુનો છે-પણ એમણે માખણ ચોર્યું. એ માખણ ચોર કહેવાયા. રણ છોડીને ભાગી જવું એ યોઘ્ધાઓ માટે મોટું કલંક છે-પણ એમણે રણ છોડી દીધું. એ રણછોડ કહેવાયા. કૃષ્ણ સાહજિક છે અને એટલે એ સમજાતા નથી. એ આપણાં પરસેપ્શનને જીતી લે છે. એ એક અનુભવ છે અને એટલે એમનું વર્ણન શક્ય નથી. બીજાની અપૂર્ણતાને એ પૂર્ણ કરતા રહ્યા અને એટલે પૂર્ણ પુરૂષ કહેવાયા. કૃષ્ણ એક થ્રીલ છે. એક ડિઝાયર છે.
