મોદીજીનો ત્રીજો કાર્યકાળ કેવો રહેશે ? 4 જૂન, 2024 અને “નિર્દયી રાજનેતા મોદી.” – કાનન ત્રિવેદી.

મોદીજીનો ત્રીજો કાર્યકાળ કેવો રહેશે ?

જો આપણે 2014 પછીની તમામ મુખ્ય ચૂંટણીઓ ઘ્યાન માં રાખી વિશ્લેષણ કરીએ..ખાસ કરીને લોકસભા 2014, 2019, 2024 ચૂંટણીઓ ઘ્યાન માં લઈએ તો…
વિપક્ષ હંમેશા બેકફૂટ પર રહ્યો છે અને 2019માં 2014ના મુદ્દાઓ અને 2024માં 2019ના મુદ્દાઓનું પુનરાવર્તન નથી કર્યું.

આ ચૂંટણીમાં ધીમે ધીમે તેઓએ છેલ્લા બે વિકલ્પો પસંદ કર્યા છે.
સંપત્તિ નું પુનઃ વિતરણ અને અનામત,
એટલે કે 2029ની ચૂંટણી માત્ર નવા મુદ્દાઓ પર આધારિત હશે અને તે હશે
અર્થતંત્ર, દેશ અને લોકોનો વિકાસ.

બીજેપી ની બાજુએ, 2014 એ મિડલક્લાસનું એકીકરણ હતું અને 2014 મિડલક્લાસ દ્વારા ચલાવવામાં આવ્યું હતું પરંતુ 2019 સુધીમાં ગ્રામીણ લોકો સુધી પહોંચાડી શકાય તેવા 100 મુદ્દાઓ ના કારણે મતદાતા માનસ ની ધરી નું કેન્દ્ર *શહેરી” માંથી “ગ્રામીણ” તરફ સ્થળાંતરિત થયું.
હવે 2024 માં તેની સંયુક્ત અસર બીજેપી જોઈ રહી છે. શહેરી લોકો બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જુએ છે અને ગ્રામ્ય લોકો બહેતર જીવન જુએ છે.

મોદીજી જાણે છે કે લોકસભાની ચૂંટણીનો ત્રીજો તબક્કો
4 જૂને પૂરો થશે અને હવે આપણને “નિર્દયી રાજનેતા મોદી” દેખાશે.

તે જાણે છે કે 3જી ટર્મ તેની છેલ્લી ટર્મ છે. તેમની પાસે 3જી ટર્મમાં ગુમાવવા જેવું કંઈ નથી કારણ કે તેઓ 2029માં ચૂંટણી લડશે નહીં. તેથી 3જી ટર્મમાં તેઓ છેલ્લા 70 વર્ષમાં કોંગ્રેસ સરકારો દ્વારા કરવામાં આવેલી તમામ બંધારણીય ખોટી રજૂઆતને ઠીક કરશે અને તેમની 3જી ટર્મ રાજકારણી તરીકે તેમના જીવનની છેલ્લી ટર્મ છે.

2029 પછી કેટલાક યુવાન નેતાઓ હશે જે
“અપર સર્કિટ” પર રમવાની તાલીમ લઈ રહ્યા છે.

તેથી મોદીજીના ત્રીજા કાર્યકાળમાં ભારત માટે ખૂબ જ ઉમદા કાર્યો ની અપેક્ષા રાખજો.
*ભારત ને આગામી 1000 વર્ષ સુધી પુનઃસ્થાપિત કરવામાં આવશે*

2014 એ ભારત માટે પાયો નાખવા માટેનો સમય હતો.

2019 એ નક્કર પાયા પર ભારતના નિર્માણ માટેનો સમય હતો.

2024 એ મહિમા અને “વૈભવ” માટે હશે.
એ “ભારતનો વાસ્તવિક ગૃહપ્રવેશ” હશે

તે પછી નો આવનાર સમયખંડ તે આપણા ભારત ની અખંડિતતાના વિકાસ અને રક્ષણ માટે આક્રમક અને રક્ષણાત્મક વ્યૂહરચના વિશે બની રહેશે.
કદાચ આ જ વિધિ ના લેખ છે.(કાનન)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *