*શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ*

શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ખાતે ઘણા વર્ષો બાદ સમૂહમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આજે એક સાથે બે સુંદર પ્રસંગો હતા. જેમાં pidilite ઇન્ડસ્ટ્રીઝ સાથે બાળદર્શન પ્રોજેક્ટ નું ઉદ્ઘાટન હતું , જેની સાથે જે મહાનુભવો આવવાના હતા તેના હાથે જ 50 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ આ બે દિવસમાં કરવામાં આવશે. આજરોજ ભાવનગર મ્યુનિસિપલ ના કમિશનર એન વી ઉપાધ્યાય, ગાંધીનગર ખાતેથી પધારેલા શીલાબેન ઘોઘારી, પીડીલાઈટ ઇન્ડસ્ટ્રીઝના પી કે શુક્લા, શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના મેનેજિંગ ટ્રસ્ટી પ્રશાંતભાઇ ભટ્ટ , ડો.ધીરેન્દ્ર મુનિ , લોકભારતી સણોસરા ના અરૂણભાઇ દવે, મુરબ્બી નલીનભાઈ પંડિત, ડો.ઇન્દ્ર ગઢવી ડો.ઉમંગ દેસાઈ, ડૉ.તેજસ દોશી , નિયામક ખીમાણીભાઈ, આ ઉપરાંત વિવિધ વિભાગોના આચાર્યશ્રીઓ તેમજ અન્ય મહાનુભવોની હાજરીમાં આપણા જુના વૃક્ષો જેવા કે વડ, પીપળ , પીપળો , જાંબુ, બદામ, બોરસલી, આંબળા, આંબલી વગેરે વૃક્ષોનું વૃક્ષારોપણ સુમીમોટો કંપનીના સહયોગથી કરવામાં આવ્યું. આ વૃક્ષારોપણનું સમગ્ર આયોજન ભાવનગરના પ્રકૃતિવિદ અને સંસ્થા ના પૂર્વ વિદ્યાર્થી ડૉ. તેજસ દોશી અને ડૉ ઇન્દ્ર ગઢવીના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *