મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ દિવાળી પર્વ ને લઇ ને વિવિધ પ્રકાર ના 50000 (₹5 લાખ ની કિંમત ના)જેટલા દીવડા તૈયાર કર્યા

દિવાળી પ્રોડક્ટ નું વેચાણ અંતિમ ચરણ માં….(સમાવેશી દિવાળી મેલા..અભિયાન અંતર્ગત)
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલડ ના મનોદિવયાંગ વિદ્યાર્થીઓ એ દિવાળી પર્વ ને લઇ ને વિવિધ પ્રકાર ના 50000 (₹5 લાખ ની કિંમત ના)જેટલા દીવડા તૈયાર કરેલ છે.

જેમા સાદા દીવા,ફેન્સી દીવા ,હેગીંગ દીવા,તુલસી કયારા,ફ્લોટિંગ દીવા,હાથી દીવા,મોર દીવા, મીણબત્તી, શુભ-લાભ દીવા ,વેકસ દીવાનો સમાવેશ થાય છે.
બે મહિના અગાઉ થી આ દિવાળી પ્રોડક્ટ બનાવવા નુ શરૂ કર્યું હતુ. પ્રોડક્ટ બનાવનાર વિદ્યાર્થીઓ ને વેચાણ પણ કરતા શીખવવા મા આવે છે.વેચાણ કરનાર વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન આપવા ના ભાગ રૂપે વળતર પણ આપવા માં આવે છે.
સંસ્થા આ વોકેશનલ પ્રોડકટસ નુ વેચાણ જુદી જુદી નોર્મલ શાળા મા,કંપની ઓ,સોસાયટી માં સ્ટોલ મુકી ને કરે છે, આ રીતે થયેલ વેચાણ ના નફા ને પણ વિદ્યાર્થીઓ ને આપી એમને પગભર કરવા સંસ્થા પ્રયત્ન શીલ રહે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *