ઉતરકાશી ખાતે બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને પૂજ્ય મોરારીબાપુની શ્રધ્ધાંજલિ 

 

ઉતરકાશી ખાતે ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પ્રવાસીઓ ને લઈ એક બસ ગંગોત્રી તરફ જઈ રહી હતી. દરમિયાનમાં કોઈ પણ કારણ હોય પરંતુ બસ દુર્ઘટનાગ્રસ્ત થતાં સાત લોકોનાં દુઃખદ અવસાન થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા છે.

પુજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા એક લાખ પાંચ હજારની સહાય અર્પણ કરી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તમામ મૃતકોના પરિવારજનોને દિલસોજી પાઠવી છે આ કરુણ માર્ગ દુર્ઘટનામાં જેઓ ઘાયલ થયા છે તેઓ ઝડપથી તેમનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી શ્રી હનુમાનજી ના ચરણોમાં પ્રાર્થના કરી છે.

તંત્રી શ્રી

જય સીયારામ. આ સાથેની વિગતો આપના પત્રમાં પ્રેસ નોટ તરીકે પ્રસિદ્ધ કરવા વિનંતી કરું છું.