પરિસ્થિતિ પર તો કાબૂ નથી જ રહેવાનો ને તોય આચાર આચરતી મનોસ્થિતિ પર પક્કડ રાખજો – મિત્તલ ખેતાણી. રાજકોટ

સાથી,મિત્ર,પુણ્ય,કુટુંબ, માવતરની કદર રાખજો

સાથી,મિત્ર,પુણ્ય,કુટુંબ, માવતરની કદર રાખજો
એકાદું પાસાંને તો જીવનમાં ખૂબ જબ્બર રાખજો

નબળાઈ ના ખબર હોય ને તો કશો જ વાંધો નહીં
બસ તમારી તાકાતની તમે પૂરેપૂરી ખબર રાખજો

આમ તો ભલે ને શેકેલો પાપડ પણ ભાંગી ન શકો
દિન,દુઃખી,અબોલ રક્ષા માટે જાત ગબ્બર રાખજો

બાહ્ય પલોટી જ નાંખવાનું છે બાહ્યને તોય પણ
માહ્યલાંમાં તો સત્ય,પ્રેમ, કરુણાને નક્કર રાખજો

પરિસ્થિતિ પર તો કાબૂ નથી જ રહેવાનો ને તોય
આચાર આચરતી મનોસ્થિતિ પર પક્કડ રાખજો

-મિત્તલ ખેતાણી(રાજકોટ,મો.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वान्तः सुखाय’માં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *