વૈષ્ણોદેવી જવા નીકળેલ યાત્રી બસનાં અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોને મોરારિબાપુની સહાય

 

ગત તારીખ ૩૦ મેના રોજ પંજાબના અમૃતસર થી જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી જતી એક યાત્રી બસને જમ્મુ નજીક ભયંકર અકસ્માત નડ્યો હતો અને આ અકસ્માતમાં બસના ચાલક સહિત 10 લોકોના મૃત્યુ થયા હતા અને 59 જેટલા યાત્રીઓ ઘાયલ થયા હતા. પૂજ્ય મોરારીબાપુ આ તમામ મૃતક પ્રત્યે તેમની શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે અને પ્રત્યેક મૃતકના પરિવારજનોને ₹20,000 લેખે રૂપિયા બે લાખની સહાયતા રાશિ અર્પણ કરેલ છે. આ કરુણ અને દુઃખદ ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે એ 59 ઘાયલોને પ્રત્યેકને રુપિયા પાંચ હજાર લેખે કુલ મળીને ૨,૯૫૦૦૦ ની સહાય અર્પણ કરી છે અને આમ કુલ મળીને રુપિયા ચાર લાખ પંચાણું હજારની સહાય અર્પણ કરી છે.
આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પુજય બાપુએ પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે. ઘટનામાં ઘાયલ લોકો ઝડપથી એમનું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તેવી પણ શુભેચ્છાઓ પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *