અમદાવાદમાં બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઇને તૈયારીઓ શરૂ.

અમદાવાદમાં 29 અને 30મેએ બાબા બાગેશ્વરના દરબારની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ચાણક્યપુરી વિસ્તારમાં વિશાળ મંડપ બનાવવામાં આવ્યો છે. આ જર્મન ટેકનોલોજીના મંડપમાં VVIP અને આમંત્રિતો બેસશે. તો અન્ય મંડપમાં 1 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે. બાબા બાગેશ્વરનું ભવ્ય સિંહાસન તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરક્ષા અને ટ્રાફિક અંગે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *